રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા11 સપ્ટેમ્બર, 2025| Super Admin

ભાભરમાં પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય કર્મીઓ સળંગ ૩૬ કલાકથી સેવારત

ભાભરમાં પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય કર્મીઓ સળંગ ૩૬ કલાકથી સેવારત
સરકારી હોસ્પિટલ – ડાયાલિસિસ વિભાગે પૂર માનવ સેવાનો અનોખો દાખલો પૂરો પાડ્યો ભાભર તથા આસપાસના વિસ્તારમાં પૂરથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ ભાભર સરકારી હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગે પોતાની નિષ્ઠા અને સેવાભાવનાનો અનોખો દાખલો પૂરો પાડ્યો છે. કુદરતી આફતને કારણે અનેક જગ્યાએ અવરજવર મુશ્કેલ બની ગઈ હતી, છતાંયે હોસ્પિટલના ડાયાલિસિસ વિભાગના કર્મચારીઓએ દર્દીઓના જીવનને પ્રાથમિકતા આપીને સેવા કાર્ય અટકવા દીધું નહતું. વિભાગના ડાયાલિસિસ ટેકનિશિયન તથા અન્ય સ્ટાફે સતત 36 કલાકની અવિરત કામગીરી કરીને કુલ 18 દર્દીઓને ડાયાલિસિસની આવશ્યક સેવા પૂરી પાડી છે. ડાયાલિસિસ જેવા મહત્વપૂર્ણ ઈલાજમાં થોડો પણ વિલંબ થાય તો દર્દીઓના જીવન પર જોખમ ઊભું થઈ શકે છે. આવી પરિસ્થિતિમાં આરામ, કુટુંબ અને વ્યક્તિગત જરૂરિયાતોને સાઇડમાં રાખીને સ્ટાફે દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે અવિરત પ્રયત્નો કર્યા. આ કાર્ય માત્ર ફરજની પૂર્તિ નથી પરંતુ માનવતાની સેવા અને ત્યાગનો પ્રેરણાદાઇ દાખલો છે. દર્દીઓ તથા તેમના પરિવારોમાં હોસ્પિટલ સ્ટાફ પ્રત્યે કૃતજ્ઞતા અને વિશ્વાસ વધારે મજબૂત બન્યો છે.સરકારી હોસ્પિટલ પરિવારે ડાયાલિસિસ વિભાગના ટેક્નિશિયન અંકિતભાઈ અને મહેન્દ્રભાઈની આ સેવાભાવનાને બિરદાવી હતી.

સંબંધિત સમાચાર