રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા27 એપ્રિલ, 2025| Super Admin

કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાની ઘટના સામે પાંથાવાડા માં ભારે આક્રોશ

કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાની ઘટના સામે પાંથાવાડા માં ભારે આક્રોશ

ધરતી પરના સ્વર્ગ સમાન કાશ્મીરમાં આવેલા પહેલગામ આતંકવાદી હુમલા વિરુદ્ધ આખા દેશમાં ગુસ્સો અને આક્રોશ છે. લોકો માર્ગો પર ઉતરી આવી વિરોધ દર્શાવી રહ્યા છે. ત્યારે દાંતીવાડા તાલુકાના પાંથાવાડા નગરજનો, આરોગ્ય કર્મચારીઓ,આગેવાનો સહીત સાથે મળીને પહેલગામ હુમલામાં શહીદ થયેલા દેશના મૃતક પ્રવાસી ભાઈઓ અને બહેનો માટે ઊંડી શોકની લાગણી અનુભવી શોકસભા યોજી હતી. આ બર્બર આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનાર તમામ શહીદોને હ્રદયપૂર્વક કેન્ડલ લાઇટ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારોને આ અગમ દુ;ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી અને શહીદોના પરિવારજનો માટે સંપૂર્ણ સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. સાથે જ ભારત સરકાર ને માંગણી કરીએ છીએ કે આવા કાયરતાપૂર્ણ હુમલાનો સશક્ત બદલો લે અને આતંકવાદનો સંપૂર્ણ નાશ થાય તેવી માંગ કરી હતી.

સંબંધિત સમાચાર