રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા18 મે, 2025| Super Admin

ડીસામાં લગ્ન મંડપમાં ગેસનું બાટલો લીકેજ થતા આગ: મોટી જાનહાની ટળી

ડીસામાં લગ્ન મંડપમાં ગેસનું બાટલો લીકેજ થતા આગ: મોટી જાનહાની ટળી
ડીસા શહેરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની સામે આવેલા વણઝારાવાસમાં લગ્ન મંડપમાં ગેસનો બાટલો લીકેજ થવાથી આગ લાગવાની ઘટના બની હતી.જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ નથી. પ્રાથમિક માહિતી અનુસાર, આ આગ ગેસનો બાટલો લીક થવાના કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આગની જાણ થતાં જ ડીસા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં ગરમીની સીઝન ચાલી રહી છે, ત્યારે આવી ઘટનાઓ બનવાની શક્યતાઓ વધી જાય છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ગેસ સિલિન્ડર અને અન્ય જ્વલનશીલ વસ્તુઓનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખે અને સાવચેતી રાખે જેથી આવી દુર્ઘટનાઓથી બચી શકાય. જો ગરમીના સમયે ધ્યાનપૂર્વક અને સમજદારીથી કામ લેવામાં આવે તો આવી ઘટનાઓ નિવારી શકાય છે.

સંબંધિત સમાચાર