આખું ગામ 3થી 5 ફૂટ પાણીમાં ડૂબી ગયું, જેના કારણે 100થી વધુ પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી ગયું. લોકોનું અનાજ, ઘરવખરી અને જીવનની મૂડી બરબાદ થઈ ગઈ કેટલાંય ઘરો ધરાશાયી થયાં, પશુઓ મૃત્યુ પામ્યાં, અને પશુઓનો ઘાસચારો નાશ પામ્યો. પરિણામે, ગામના લોકો ખુલ્લામાં જીવન ગુજારવા મજબૂર બન્યા છે. પરંતુ, ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે થરાદ તંત્રની નિષ્ક્રિયતા નિરાશાજનક છે! અત્યાર સુધી કોઈ અધિકારીએ ગામની મુલાકાત લીધી નથી, ન તો કોઈ રાહત કે સહાય પહોંચાડવામાં આવી છે. આવી બેદરકારી અસ્વીકાર્ય છે! અમે સરકાર અને તંત્રને સ્પષ્ટ શબ્દોમાં કહીએ છીએ: તાત્કાલિક ભરડાસર ગામ પહોંચો, ખાદ્યસામગ્રી, રહેવા માટે આશ્રય, પશુઓ માટે ઘાસચારો અને આર્થિક સહાય પૂરી પાડો ગામલોકોની આ વેદનાને અવગણશો નહીં, તાત્કાલિક પગલાં લો! એવી માંગણી કરી હતી.
થરાદ તાલુકાના ભરડાસર ગામમાં પૂરનો પ્રકોપ! ખુલ્લામાં જીવન ગુજારવા મજબૂર

ટેગ્સ:#Banaskantha District#Tharad Taluka#Agricultural Loss#Gujarat Flood-Affected Areas#Bhardasar Village Flood#Tharad Taluka Crisis#Homes Submerged#Cattle Deaths & Fodder Loss#Families Living in the Open#House Collapse#Bhardasar Village
સંબંધિત સમાચાર
બનાસકાંઠાજુનાડીસા પીએચસીને સીએચસીનો દરજ્જો આપવાની તાતી જરૂર
1 કલાક પહેલા
બનાસકાંઠાશિહોરીમાં વ્યાજખોરોનો આતંક, કંટાળીને યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતા ખળભળાટ
1 કલાક પહેલા
બનાસકાંઠાદિયોદરમાં વાવાઝોડાની નુકસાનીનું તાત્કાલિક વળતર ચૂકવવા સરપંચ એસોસિએશનની માંગ
2 કલાક પહેલા
બનાસકાંઠાદાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 'વિશ્વ સાયકલ દિવસ'ની ભવ્ય ઉજવણી
2 કલાક પહેલા
