મહેસાણા21 ફેબ્રુઆરી, 2025
ઊંઝા રેલ્વે સ્ટેશનથી મુન્દ્રા પોર્ટ ખાતે આગામી 26 ફેબ્રુઆરીના માલ સામાન ભરેલ કન્ટેનરની પ્રથમ રેલ્વે રેક મોકલશે

ઊંઝા રેલ્વે સ્ટેશન ખાતે કન્ટેનર યાર્ડ બનવવાની શરૂઆત; એશિયા ના નંબર વન ઊંઝા માર્કેટયાર્ડ ને ધ્યાનમાં રાખી ઉત્તર ગુજરાતમાં ઊંઝા રેલવે સ્ટેશને કન્ટેનર યાર્ડ બનાવવા નો નિર્ણય કરાયો છે. આ કન્ટેનર યાર્ડ માં નિકાસ કરવા માંગતા વેપારીઓના માલની ઊંઝા રેલવે સ્ટેશન થી અન્ય સ્થળે મોકલવા માં આવશે. ત્યારે ઊંઝા રેલવે સ્ટેશન થી મુન્દ્રા પોર્ટ ખાતે આગામી 26 ફેબ્રુઆરી 2025 ના રોજ માલ સામાન ભરેલા કન્ટેનર ની પ્રથમ રેલવે રેક મોકલવા માં આવનાર છે. ઊંઝા માર્કેટયાર્ડ માંથી જીરા, વરિયાળી, ઇસબગુલ ઉપરાંત મસાલા પાકોની નિકાસ દેશ-વિદેશમાં કરવામાં આવે છે. વેપારીઓ અને ખેડૂતો જે ખેતપેદાશો ની નિકાસ કરવા માંગે છે એમના માટે રેલવે મારફતે તમામ પ્રકાર ના ખેતપેદાશો મોકલવા સસ્તા અને સુરક્ષિત રીતે મોકલી શકાશે. આ માટે ઊંઝા થી મુન્દ્રા પ્રથમ રેલવે રેક આગામી 26 મી પ્રસ્થાન કરશે અને ત્યારબાદ આવનાર સમય માં મુંબઇ,દિલ્લી અને બેંગલોર સુધી રેલવે રેક થી ખેતપેદાશો ઉત્તર ગુજરાત માંથી મોકલી શકાશે.
ઊંઝા એપીએમસીના પૂર્વે ચેરમેન દિનેશભાઈ પટેલની મહેનત રંગ લાવી; ઊંઝા એપીએમસીના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલ અગાઉ જ્યારે ડીઆરયુસીસી અમદાવાદ ડિવિઝનમાં સભ્ય હતા ત્યારે તેમણે બીજા કન્ટેનર યાર્ડ બનાવવા માટે રેલ્વે વિભાગના ઊંચ અધિકારીઓને રજૂઆતો કરી હતી. દિનેશભાઈ પટેલની મહેનત રંગ લાવી છે. ત્યારે અદાણી પોર્ટની ભાગીદારીથી ઉતર ગુજરાતમાં ઊંઝા ખાતે કન્ટેનર યાર્ડની જાહેરાત થતા વેપારીઓમાં આનંદની લાગણી વ્યાપી છે.
ટેગ્સ:#North Gujarat#Isabgul#Unjha Railway Station#Mundra Port#Container Yard#Unjha Market Yard#Agricultural Exports#Railway Rake#Adani Port#Spice Crops#Export Logistics#Railway Infrastructure
સંબંધિત સમાચાર
મહેસાણામહેસાણામાં બે અલગ-અલગ અકસ્માતમાં ત્રણને ઈજા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
5 કલાક પહેલા
મહેસાણામહેસાણા જિલ્લાના વડનગરમાં ડબ્બા ટ્રેડિંગ રેકેટનો પર્દાફાશ : પોલીસને મોટી સફળતા મળી
6 કલાક પહેલા
મહેસાણાવડનગરમાં આંબેડકર ભવનની જમીન પર તંત્રનું બુલડોઝર : ગેરકાયદેસર દબાણોનો સફાયો
6 કલાક પહેલા
મહેસાણામહેસાણા પોલીસનો મોટો સપાટો : ₹3.36 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવી દેવાયું
2 દિવસ પહેલા
