રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા25 ફેબ્રુઆરી, 2026| Super Admin

ડીસાના ગાયત્રી મંદિર પાસેની શ્રીધર સોસાયટીના ખાલી પ્લોટમાં આગ ભભૂકી

ડીસાના ગાયત્રી મંદિર પાસેની શ્રીધર સોસાયટીના ખાલી પ્લોટમાં આગ ભભૂકી
ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક એવા ડીસા શહેરમાં ગતરાત્રિએ આગની ઘટનાને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી. શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલી શ્રીધર સોસાયટીના એક ખાલી પ્લોટમાં અચાનક આગ ફાટી નીકળતા સ્થાનિક રહીશોમાં ફાળ પડી હતી. ​મળતી માહિતી મુજબ, શ્રીધર સોસાયટીમાં આવેલા એક ખુલ્લા પ્લોટમાં પડેલા કચરા અથવા સુકા ઘાસમાં અચાનક આગ લાગી હતી. રાત્રિના અંધકારમાં આગની જ્વાળાઓ ઉંચે સુધી દેખાતા સોસાયટીના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. પ્લોટની આસપાસ રહેણાંક મકાનો હોવાથી આગ વધુ પ્રસરે તે પહેલાં જ સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી.​ઘટનાની જાણ થતા જ ડીસા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી ટૂંક સમયમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે મોટી હોનારત ટળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટું આર્થિક નુકસાન થયું નથી. ઘટનાસ્થળે ઉમટી પડેલા ટોળાને વિખેરી પોલીસે પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓથી દૂર રહેવા અને ઉનાળાની શરૂઆતમાં આવી આગની ઘટનાઓ ન બને તે માટે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.    

સંબંધિત સમાચાર