રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા25 ફેબ્રુઆરી, 2026| Super Admin

ડીસાના ગાયત્રી મંદિર પાસેની શ્રીધર સોસાયટીના ખાલી પ્લોટમાં આગ ભભૂકી

ડીસાના ગાયત્રી મંદિર પાસેની શ્રીધર સોસાયટીના ખાલી પ્લોટમાં આગ ભભૂકી
ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો બનાસકાંઠાના મુખ્ય વેપારી મથક એવા ડીસા શહેરમાં ગતરાત્રિએ આગની ઘટનાને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી. શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલી શ્રીધર સોસાયટીના એક ખાલી પ્લોટમાં અચાનક આગ ફાટી નીકળતા સ્થાનિક રહીશોમાં ફાળ પડી હતી. ​મળતી માહિતી મુજબ, શ્રીધર સોસાયટીમાં આવેલા એક ખુલ્લા પ્લોટમાં પડેલા કચરા અથવા સુકા ઘાસમાં અચાનક આગ લાગી હતી. રાત્રિના અંધકારમાં આગની જ્વાળાઓ ઉંચે સુધી દેખાતા સોસાયટીના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. પ્લોટની આસપાસ રહેણાંક મકાનો હોવાથી આગ વધુ પ્રસરે તે પહેલાં જ સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી.​ઘટનાની જાણ થતા જ ડીસા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી ટૂંક સમયમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો, જેના કારણે મોટી હોનારત ટળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટું આર્થિક નુકસાન થયું નથી. ઘટનાસ્થળે ઉમટી પડેલા ટોળાને વિખેરી પોલીસે પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યું હતું. સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓથી દૂર રહેવા અને ઉનાળાની શરૂઆતમાં આવી આગની ઘટનાઓ ન બને તે માટે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.    

સંબંધિત સમાચાર