રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા7 ઑગસ્ટ, 2025| Super Admin

છાપી રેલ્વે ઓવરબ્રિજ માં પોણા ફૂટની જગ્યા થતા ભય નો માહોલ

છાપી રેલ્વે ઓવરબ્રિજ માં પોણા ફૂટની જગ્યા થતા ભય નો માહોલ
વારંવાર ક્ષતિગ્રસ્ત થવા ના કારણે ઓવરબ્રિજ ની કામગીરી સામે સવાલો ઉઠ્યા વડગામ તાલુકાના છાપી રેલ્વે ઉપર બનાવવામાં આવેલ ઓવરબ્રિજ માં અચાનક પોણા ફૂટ ની જગ્યા થતા બ્રિજ ઉપર થી પસાર થતા વાહન ચાલકો માં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે બ્રિજની મજબૂતાઈ સામે પણ સવાલ ઉઠવા પામ્યા છે. વડગામ તાલુકાના વેપારી મથક છાપી માં આવેલ રેલવે ઓવરબ્રિજ જે છાપી તેમજ હાઇવે ને જોડતો ઓવરબ્રિજ છે. આ ઓવરબ્રિજ ચાર વર્ષ પૂર્વે બનાવવામાં આવ્યો હતો.જોકે  છાપી તરફ ના ઓવરબ્રિજ ના ભાગ મા પોણા ફૂટ જેટલી જગ્યા થતા નાના નાના વાહનો ને નુકશાન થવા સાથે બ્રિજ ની મજબૂતાઈ સામે સવાલ ઉઠવા પામ્યા છે. આ ઓવરબ્રિજ ના કોન્ટ્રાકટર ની કામગીરી ને લઈ અનેક તર્કવિતર્ક પણ ઉભા થયા છે.ત્યારે ઓવરબ્રિજ ની સમીક્ષા કરવા સાથે ઉચ્ચ અધિકારીઓ નિરીક્ષણ કરી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. બ્રિજ ની સમીક્ષા કરવા માંગ; ગુજરાત માં વારંવાર ઓવરબ્રિજ ધરાસાઈ થવા ની ઘટના ના કારણે અનેક માસૂમ જીન્દગીઓ મોત ને ભેટી છે. ત્યારે વધુ એક બ્રિજ ક્ષતિગ્રસ્ત થવા ની ઘટના સામે આવી છે. જેથી સત્વરે બ્રિજ નું સમારકામ કરવા લોક માંગ ઉઠવા પામી છે.

સંબંધિત સમાચાર