અફઘાનિસ્તાનમાં ફરી એકવાર કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. પૂર્વીય અફઘાનિસ્તાનના વિવિધ વિસ્તારોમાં આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકાને કારણે મોટી તબાહી સર્જાઈ છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનું હિંદુકુશ હતું. જ્યારે એક બાળકને ઈજા થઈ છે. 5.9ની તીવ્રતાના આ ભૂકંપના આંચકા પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં પણ અનુભવાયા હતા, જોકે પાકિસ્તાનમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ પહેલા 3 નવેમ્બર 2025ના રોજ અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફમાં 5.9ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા. સેંકડો લોકો ઘાયલ થયા હતા. ભૂકંપથી શહેરની ઐતિહાસિક બ્લુ મસ્જિદને પણ નુકસાન પહોંચ્યું હતું. આ મસ્જિદ મઝાર-એ-શરીફનું મુખ્ય ધાર્મિક અને પર્યટન સ્થળ છે.
- હોમ
- /આંતરરાષ્ટ્રીય
- /અફઘાનિસ્તાનમાં ભૂકંપનો આંચકો: કુદરતી હોનારતમાં 8 લોકોના કરુણ મોત
અફઘાનિસ્તાનમાં ભૂકંપનો આંચકો: કુદરતી હોનારતમાં 8 લોકોના કરુણ મોત

સંબંધિત સમાચાર
આંતરરાષ્ટ્રીયડોનાલ્ડ ટ્રમ્પ ફ્રાન્સમાં પીએમ મોદીને મળ્યા, આ મુલાકાત G-7 બેઠક દરમિયાન થઈ હતી
5 કલાક પહેલા
આંતરરાષ્ટ્રીયપીએમ મોદી ફ્રાન્સના એવિયન પહોંચ્યા, અનેક નેતાઓને મળશે
7 કલાક પહેલા
આંતરરાષ્ટ્રીયસ્લોવાકિયાએ પીએમ મોદીને પોતાનો સર્વોચ્ચ સન્માન 'ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ' એનાયત કર્યો
10 કલાક પહેલા
આંતરરાષ્ટ્રીયઇન્ડોનેશિયામાં 6.7 ની તીવ્રતાના ભૂકંપ, લોકો ઘર છોડી બહાર ભાગ્યા
13 કલાક પહેલા
