અફઘાનિસ્તાનમાં ફરી એકવાર કુદરતનો પ્રકોપ જોવા મળ્યો છે. પૂર્વીય અફઘાનિસ્તાનના વિવિધ વિસ્તારોમાં આવેલા શક્તિશાળી ભૂકંપના આંચકાને કારણે મોટી તબાહી સર્જાઈ છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. દિલ્હી-NCR, પંજાબ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનું હિંદુકુશ હતું. જ્યારે એક બાળકને ઈજા થઈ છે. 5.9ની તીવ્રતાના આ ભૂકંપના આંચકા પાકિસ્તાનના અનેક વિસ્તારોમાં પણ અનુભવાયા હતા, જોકે પાકિસ્તાનમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ પહેલા 3 નવેમ્બર 2025ના રોજ અફઘાનિસ્તાનના મઝાર-એ-શરીફમાં 5.9ની તીવ્રતાના ભૂકંપમાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા. સેંકડો લોકો ઘાયલ થયા હતા. ભૂકંપથી શહેરની ઐતિહાસિક બ્લુ મસ્જિદને પણ નુકસાન પહોંચ્યું હતું. આ મસ્જિદ મઝાર-એ-શરીફનું મુખ્ય ધાર્મિક અને પર્યટન સ્થળ છે.
- હોમ
- /આંતરરાષ્ટ્રીય
- /અફઘાનિસ્તાનમાં ભૂકંપનો આંચકો: કુદરતી હોનારતમાં 8 લોકોના કરુણ મોત
અફઘાનિસ્તાનમાં ભૂકંપનો આંચકો: કુદરતી હોનારતમાં 8 લોકોના કરુણ મોત

સંબંધિત સમાચાર
આંતરરાષ્ટ્રીય'પશ્ચિમ એશિયામાં મધ્યસ્થી અંગે ભારત-પાકિસ્તાનની સરખામણી ખોટી છે'
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયઅમેરિકાની સ્વતંત્રતાના 250 વર્ષ પૂર્ણ, પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને અમેરિકાના લોકોને અભિનંદન પાઠવ્યા
1 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયપાકિસ્તાનમાં મોટો અકસ્માત: મુસાફરોથી ભરેલી બસ ખાઈમાં પડી, 40 લોકોના મોત
3 દિવસ પહેલા
આંતરરાષ્ટ્રીયપીએમ મોદી આવતા અઠવાડિયે ન્યુઝીલેન્ડની મુલાકાત લેશે
3 દિવસ પહેલા
