બનાસકાંઠા જિલ્લામાં ધરા ધ્રુજી..! 3.8ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી 34 કી.મી. દૂર

દાંતીવાડાનું ડેરી ગામ કેન્દ્ર બિંદુ: નુક્સાની ટળી બનાસકાંઠા જિલ્લામાં દેવ દિવાળી બાદ આજે ફરી એકવાર ધરા ધ્રુજી હતી. સાંજે 5 કલાક અને 28 મિનિટે ધરા ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 3.8ની તીવ્રતા વાળા ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુરથી 34 કી. મી.દૂર ડેરી ગામમાં નોંધાયું હોવાના અહેવાલ સાંપડ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં આજે સાંજે 5.28 વાગે અચાનક ભૂકંપના આંચકા આવતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. 3.8 ની તીવ્રતાથી અને 3.3 કિલોમીટર ની ઊંડાઈ પર આવેલ ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી 34 કિલોમીટર દૂર દાંતીવાડા તાલુકાનું ડેરી ગામ હોવાના અહેવાલ સાંપડ્યા છે. જોકે, ભૂકંપના આંચકા દાંતીવાડા અને ઈકબાલગઢ આસપાસના વિસ્તારોમાં અનુભવાયા હતા. ભૂકંપને પગલે કોઈ જાનહાની કે મોટા નુકસાનના સમાચાર સામે ન આવતા તંત્ર સહિત પ્રજાજનોએ પણ હાશકારો અનુભવ્યો હતો.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાવડગામ હનીટ્રેપ: ₹15 લાખની ખંડણી માંગનાર માજી સરપંચ અને પત્રકાર સહિત 3 ઝડપાયા
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા હનીટ્રેપ કેસ: આખરે મુખ્ય સૂત્રધાર યુવતી ઝડપાઈ
2 દિવસ પહેલા
બનાસકાંઠાનાની આખોલ ગામે ત્રિદિવસીય હનુમાનદાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં પ્રી-મોન્સૂન પ્લાનિંગના ધજાગરા: મુખ્ય માર્ગ ખોદી નાખાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ
2 દિવસ પહેલા
