રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા24 એપ્રિલ, 2026| Super Admin

જિલ્લા કલેક્ટર મિહિર પટેલની નાગરિકોને અચૂક મતદાન કરવા અપીલ

જિલ્લા કલેક્ટર મિહિર પટેલની નાગરિકોને અચૂક મતદાન કરવા અપીલ

સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી આગામી તા.૨૬ એપ્રિલ, ૨૦૨૬ રવિવારના રોજ યોજાનાર છે, જ્યારે મતગણતરી તા. ૨૮ એપ્રિલ, ૨૦૨૬ મંગળવારના રોજ હાથ ધરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે વિગતવાર માહિતી આપતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લા પંચાયત, ૧૦ તાલુકા પંચાયતો તેમજ પાલનપુર, ડીસા અને ધાનેરા નગરપાલિકાઓની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલના રોજ મતદાન યોજાશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને સુચારુ રીતે પૂર્ણ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંદાજે ૧૯૬૧ મતદાન મથકો ખાતે ૧૫,૦૦૦ થી વધુ પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે.

જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લાના આંગણે ઉજવાતા લોકશાહીના આ પવિત્ર તહેવારમાં દરેક નાગરિક પોતાનો મતાધિકાર જાગૃતતાપૂર્વક અને જવાબદારીથી ઉપયોગ કરે તે જરૂરી છે. મતદાન એ દરેકની પવિત્ર ફરજ પણ છે, જે દેશના લોકતંત્રને મજબૂત બનાવે છે. આ મહા પર્વમાં જિલ્લાના તમામ મતદારો - યુવાનો, ભાઈઓ, બહેનો તેમજ વડીલો ઉત્સાહભેર અને નિર્ભયતાથી ભાગ લે અને વધુમાં વધુ મતદાન કરે તે માટે તેમણે નાગરિકોને અપીલ કરી હતી. મતદાન પ્રક્રિયા પારદર્શક, નિષ્પક્ષ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી છે. તેથી મતદારો નિર્ધારિત તારીખે પોતાના મતદાન કેન્દ્ર પર જઈને મતદાન કરે અને લોકશાહીના આ મહોત્સવને સફળ બનાવે તે માટે પણ તેમણે સૌને પ્રેરિત કર્યા હતા. 

સંબંધિત સમાચાર