- હોમ
- /Uncategorized
- /ડીસાથી જુનાડીસાના સરયુનગર પરબડી રોડ નજીક ભૂગર્ભ ગટરના ગંદા પાણી રેલાતા સ્થાનિકોમાં રોષ
Uncategorized14 નવેમ્બર, 2024
ડીસાથી જુનાડીસાના સરયુનગર પરબડી રોડ નજીક ભૂગર્ભ ગટરના ગંદા પાણી રેલાતા સ્થાનિકોમાં રોષ

દુર્ગંધયુક્ત પાણીના કારણે રોગચાળાની ભીતિ દહેશત: ડીસાથી જુનાડીસા રોડ ઉપર આવેલ સરયુનગરથી પરબડી જતા મુખ્ય માર્ગ ઉપર લાંબા સમયથી ભૂગર્ભ ગટરના ગન્દા પાણી ભરાઈ જતા સ્થાનિકો ભારે હેરાન પરેશાન થઇ ઉઠ્યા છે. દુર્ગંધયુક્ત ગંદુ પાણી લાંબા સમયથી ભરાઈ જતા આસપાસના ખેડૂતો તેમજ શાળાએ જતા બાળકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. જોકે આ મામાલે સ્થાનિકો દ્વારા અવાર નવાર પાલિકા લેવલે રજુઆત કરવા છતાં આજદિન સુધી આ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી.
આ મામલે સ્થાનિક ખેડૂત રમેશભાઈ માળીએ જણાવ્યું હતું કે આ ભૂગર્ભ ગટરનું પાણી લાંબા સમયથી ઉભરાય છે.અને મુખ્ય માર્ગ ઉપર ભરાઈ જાય છે. આ ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાઈ જાય તેવી શક્યતા છે અમે અવાર નવાર પાલિકા લેવલે રજુઆત કરી હોવા છતાં પણ આ મામલે પાલિકા દ્વારા આ પાણીના નીકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.ત્યારે ગંદા પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા કરવાની માંગ પણ કરી હતી.
સંબંધિત સમાચાર
Uncategorizedનેતન્યાહૂએ ઈસુની સરખામણી ચંગીઝ ખાન સાથે કરીને તેમનું અપમાન કરવાનો ઇનકાર કર્યો
2 દિવસ પહેલા
Uncategorizedવિકી કૌશલે હજુ સુધી ધૂરંધર 2 જોઈ નથી, તેણે કહ્યું- 'મને પહેલો ભાગ ગમ્યો પણ...'
2 દિવસ પહેલા
Uncategorizedશું ખાર્ગ દ્વીપ નવું યુદ્ધક્ષેત્ર બનશે? ટ્રમ્પની 'કબજે' વાળી રણનીતિથી તેહરાન ખફું
2 દિવસ પહેલા
Uncategorized
દિલ્હીમાં રામનવમી ની બેંકમાં રજા રહેશે?
2 દિવસ પહેલા
