રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા6 જાન્યુઆરી, 2026| Super Admin

ડીસા નગરપાલિકાની લાલ આંખ; જાહેરમાં ઘાસચારો વેચનારાઓ સામે પોલીસ ફરિયાદની તૈયારી

ડીસા નગરપાલિકાની લાલ આંખ; જાહેરમાં ઘાસચારો વેચનારાઓ સામે પોલીસ ફરિયાદની તૈયારી

શહેરમાં રખડતા પશુઓના વધતા જતા ત્રાસને ડામવા માટે ડીસા નગરપાલિકા દ્વારા હવે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જાહેર માર્ગો પર ઘાસચારો વેચતા લોકોના કારણે પશુઓનો જમાવડો થતો હોવાથી, પાલિકાએ આવા વેચાણકર્તાઓ સામે પોલીસ કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે.​ડીસા શહેરના અનેક વિસ્તારોમાં જાહેર માર્ગો પર મોટા પાયે લીલા ઘાસચારાનું વેચાણ થઈ રહ્યું છે. આ ઘાસચારો ખાવા માટે રખડતા પશુઓ રસ્તાની વચ્ચે જ ઉભા રહે છે, જેના કારણે ટ્રાફિક જામ અને અકસ્માતની સમસ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. રાત્રિ દરમિયાન રખડતા પશુઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ​આ ઉપરાંત સવારના સમયે જાહેર માર્ગો પર બેસીને લીલો ઘાસચારો વેચતા લોકોનું વેચાણ બંધ કરાવવા માટે કવાયત તેજ કરવામાં આવી છે. તેમજ ​નગરપાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે હવે જો કોઈ પણ વ્યક્તિ જાહેર માર્ગો કે ફૂટપાથ પર ઘાસચારો વેચતા ઝડપાશે, તો તેમની સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે.આ બાબતે પાલિકા સેનિટેશન વિભાગ ના કર્મચારી દેવરામભાઇ માળી  એ ​ડીસા નગરપાલિકાએ શહેરની જનતાને પણ સહકાર આપવા અપીલ કરી છે. પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, "રસ્તા પર પશુઓને ઘાસચારો નાખવાથી તેઓ ત્યાં જ અડિંગો જમાવે છે, જે જાહેર સલામતી માટે જોખમી છે. નાગરિકોએ જાહેર માર્ગો પર પશુઓને ઘાસચારો નાખવાનું ટાળવું જોઈએ."    

સંબંધિત સમાચાર