રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા14 ફેબ્રુઆરી, 2026| Super Admin

ગુજરાત સરકારના જળ રીચાર્જ અભિયાનમાં ડીસા એપીએમસીની ભાગીદારી

ગુજરાત સરકારના જળ રીચાર્જ અભિયાનમાં ડીસા એપીએમસીની ભાગીદારી
બોર અને કુવા રીચાર્જનો ખર્ચ 90 ટકા સરકાર અને 10 ટકા લોકભાગીદારીથી કરાશે ડીસા તાલુકાના ખેડૂતોની 5 ટકા સહાય એપીએમસી દ્વારા અપાશે: કલ્યાણ રબારી ગુજરાત સરકાર દ્વારા બંધ પડેલ બોરવેલ અને કુવામાં ભૂગર્ભ જળસ્તર ઊંચું આવે તે માટે ખેડૂતોને મદદરૂપ થવા માટે 90-10 ની યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં 10 ટકા લોકભાગીદારી પૈકી 5 ટકા રકમ એપીએમસીએ ભરવાનો નિર્ણય લીધો છે. જેથી ખેડૂતોને હવે માત્ર પાંચ ટકા જ ભરવાના રહેશે. ગુજરાત સરકાર દ્વારા જળ અભિયાનને વેગ મળે અને ઓછા ખર્ચે વરસાદી વહી જતું પાણી બંધ પડેલા બોરવેલ અને કુવાઓ મારફત જમીનમાં ઉતારવા માટે રીચાર્જ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં બોર અને કુવા રીચાર્જના 90 ટકા રકમ રાજ્ય સરકાર ભોગવશે. અને 10 ટકા રકમ લોકભાગીદારીથી લેવામાં આવનાર છે. ત્યારે ડીસા તાલુકામાં બંધ પડેલા બોર તેમજ કુવા રીચાર્જ માટે ખેડૂતોએ અરજી કરવી જરૂરી છે. જે પણ ખેડૂતની અરજી મંજૂર થશે તે ખેડૂતને 10 ટકા લોકભાગીદારી પૈકી 5 ટકા રકમ ડીસા એપીએમસી નિયામક મંડળ એટલે કે બજાર સમિતિ ચુકવશે તેમ ડીસા એપીએમસી ડીરેકટર અને વિકાસ સમિતિ ચેરમેન કલ્યાણ રબારીએ જણાવ્યું હતું.જોકે એપીએમસીના આ ખેડૂત લક્ષી નિર્ણયથી ખેડૂતોને હવે માત્ર પાંચ ટકાજ ચૂકવવા પડશે જે ખેડૂતો માટે મોટો ફાયદો થવા પામ્યો છે.  

સંબંધિત સમાચાર