રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા1 નવેમ્બર, 2025| Super Admin

થરાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સીધી બસ સેવાનો પ્રારંભ કરાયો

થરાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સીધી બસ સેવાનો પ્રારંભ કરાયો
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી આગેવાની હેઠળ જનહિતમાં મહત્વપૂર્ણ પગલું આપણા વિધાનસભા અધ્યક્ષ તથા થરાદના લોકલાડીલા ધારાસભ્ય માનનીય  શંકરભાઈ ચૌધરી સાહેબને મળેલી લોકમાગણીને અનુલક્ષીને, તેમની દિશા-સૂચનાને અનુસરતાં વિભાગીય નિયામક  કિરીટભાઈ ચૌધરી અને તેમની ટીમ તેમજ થરાદ ડેપો મેનેજર ભરતભાઈ ચૌધરી તથા તેમની ટીમ દ્વારા જાહેર જનતાને વધુ સુવિધા પૂરી પાડવાના હેતુસર અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આજે થી થરાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા) સુધીની નવી સીધી બસ સેવા શરૂ કરવામાં આવી છે. આ નવી બસ સેવા દ્વારા પ્રવાસીઓને સરળ, આરામદાયક અને સુરક્ષિત મુસાફરીની સુવિધા ઉપલબ્ધ થશે. બસ દરરોજ સાંજે 6 વાગ્યે થરાદથી એકતાનગર માટે નીકળશે અને ત્યાંથી પણ સાંજે 6 વાગ્યે પરત ફરશે. આ રૂટ વાયા ડીસા, પાલનપુર, મેહસાણા, અમદાવાદ, બરોડા, ડભોઈ થઈને કેવડિયા (સ્ટેચ્યુ ઓફ યુનિટી) સુધી જશે. આ મહત્વપૂર્ણ સેવા પ્રવાસીઓને સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક અને આસપાસના પર્યટન સ્થળો સુધી પહોંચવામાં મદદરૂપ થશે. આ અવસર પર આજે, દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક, લોહપુરુષ ભારતરત્ન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી (રાષ્ટ્રીય એકતા દિવસ) નિમિત્તે આ બસ સેવાને લીલી ઝંડી બતાવી જનસેવામાં સમર્પિત કરવામાં આવી. આ કાર્યક્રમમાં થરાદ ધારાસભ્ય કાર્યાલય ઇન્ચાર્જ હેમજીભાઈ, જયમીનભાઈ પ્રજાપતિ, અંબારામભાઈ,  હિતેષભાઈ વાણીયા, વસંતભાઈ, પિરોમલભાઈ,  નજાર, નરેશભાઈ પટેલ તેમજ થરાદ ડેપો મેનેજર ભરતભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે સ્ટેન્ડ ઇન્ચાર્જ રાણાભાઇ, સોસાયટી ડિરેક્ટર દિનેશભાઇ પટેલ, મનુભાઈ, રાજુભાઈ, ઈશ્વરભાઈ, ભાવેશભાઈ, જ્યંતિભાઈ તથા અન્ય ડેપો યુનિયન હોદેદારો અને કર્મચારીઓની હાજરીમાં કાર્યક્રમ પૂર્ણ થયો હતો    

સંબંધિત સમાચાર