રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા24 જુલાઈ, 2025| Super Admin

ધાનેરામાં દશામાં વ્રતને લઈ ભક્તોનો ઉત્સાહ, બજારોમાં મેળા જેવો માહોલ

ધાનેરામાં દશામાં વ્રતને લઈ ભક્તોનો ઉત્સાહ, બજારોમાં મેળા જેવો માહોલ

દશામાંના વ્રતનો પ્રારંભ થતો હોવાથી આજે ધાનેરાની બજારોમાં દશામાંની મૂર્તિઓ અને “સાંઢણી” (દશામાંના વ્રતમાં ઉપયોગમાં લેવાતી ખાસ પ્રકારની માટીની પ્રતિકૃતિ) ખરીદવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આસપાસના ગામડાંઓમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દશામાંની સાંઢણી લેવા ઉમટી પડ્યા હતા, જેના કારણે ધાનેરામાં મેળા જેવો માહોલ સર્જાયો હતો. દશામાંના વ્રતનો પ્રારંભ અમાસના દિવસથી થતો હોવાથી ભક્તો આજે વહેલી સવારથી જ દશામાંની મૂર્તિઓ અને સાંઢણી ખરીદવા માટે ઉમટી પડ્યા હતા. બજારોમાં ઠેર-ઠેર દશામાંની મૂર્તિઓના સ્ટોલ લાગ્યા હતા, જ્યાં ભક્તો ભાવપૂર્વક ખરીદી કરતા જોવા મળ્યા હતા. ખાસ કરીને મહિલાઓમાં દશામાંના વ્રતને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વર્ષે પણ દશામાંનું વ્રત શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવાશે, ત્યારે ધાનેરા અને આસપાસના વિસ્તારોમાં ધાર્મિક વાતાવરણ છવાયું છે.

સંબંધિત સમાચાર