રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા16 એપ્રિલ, 2025| Super Admin

ધાનેરા; જન્મ-મરણ દાખલાં માટે ધર્મ ધક્કા અરજદારો મુશ્કેલીમાં

ધાનેરા; જન્મ-મરણ દાખલાં માટે ધર્મ ધક્કા અરજદારો મુશ્કેલીમાં

ધાનેરા પાલિકા કચેરી ખાતે છેલ્લા 10 દિવસથી જન્મ અને મરણના દાખલાં મેળવવા આવેલ અરજદારો માટે મુશ્કેલીનો માહોલ સર્જાયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી ફોર્મ નંબર 5 ની પૂરવઠા ન થવાથી દાખલાંની પ્રક્રિયા અટકી પડી છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો દાખલાં લેવા માટે કચેરી પહોંચે છે, પરંતુ ફોર્મની અછતને કારણે તેમને નિરાશ થતાં ધક્કાઓ ખાવા પડે છે. અરજદારો માટે આ પ્રક્રિયા વિઘ્નરૂપ બની રહી છે અને અનેક લોકો દિવસો સુધી દોડધામ કરવા મજબૂર બન્યા છે. ફોર્મ ન હોવાના કારણે બીજું કોઈ વિકલ્પ ન હોવાથી અરજદારો અટવાઈ ગયેલા છે. આ સ્થિતિએ પ્રશ્ન ઊભો થાય છે કે સ્થાનિક તંત્રે આ સ્થિતિનો પૂર્વ અંદાજ લઇને પહેલેથી વ્યવસ્થા શા માટે ન કરી? જણાવાયું છે કે આ સમસ્યા માત્ર ધાનેરા સુધી સીમિત નથી, પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના અન્ય શહેરો અને તાલુકાઓમાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ છે. હવે આ બાબતે તંત્ર શું પગલાં લે છે અને ક્યારે સુધી ફોર્મ ઉપલબ્ધ થાય છે, એ જોવાનું રહ્યું. ચીફ ઓફિસરે જણાવે કે રાજ્ય સરકારે ફોર્મ છપાવવા આપેલ હોય, જે 17-04-2025 ના રોજ જિલ્લામાં આવશે. ફોર્મ આવ્યાની બાદ કામગીરી શરૂ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર