રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા16 એપ્રિલ, 2025| Super Admin

ધાનેરા; જન્મ-મરણ દાખલાં માટે ધર્મ ધક્કા અરજદારો મુશ્કેલીમાં

ધાનેરા; જન્મ-મરણ દાખલાં માટે ધર્મ ધક્કા અરજદારો મુશ્કેલીમાં

ધાનેરા પાલિકા કચેરી ખાતે છેલ્લા 10 દિવસથી જન્મ અને મરણના દાખલાં મેળવવા આવેલ અરજદારો માટે મુશ્કેલીનો માહોલ સર્જાયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી ફોર્મ નંબર 5 ની પૂરવઠા ન થવાથી દાખલાંની પ્રક્રિયા અટકી પડી છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો દાખલાં લેવા માટે કચેરી પહોંચે છે, પરંતુ ફોર્મની અછતને કારણે તેમને નિરાશ થતાં ધક્કાઓ ખાવા પડે છે. અરજદારો માટે આ પ્રક્રિયા વિઘ્નરૂપ બની રહી છે અને અનેક લોકો દિવસો સુધી દોડધામ કરવા મજબૂર બન્યા છે. ફોર્મ ન હોવાના કારણે બીજું કોઈ વિકલ્પ ન હોવાથી અરજદારો અટવાઈ ગયેલા છે. આ સ્થિતિએ પ્રશ્ન ઊભો થાય છે કે સ્થાનિક તંત્રે આ સ્થિતિનો પૂર્વ અંદાજ લઇને પહેલેથી વ્યવસ્થા શા માટે ન કરી? જણાવાયું છે કે આ સમસ્યા માત્ર ધાનેરા સુધી સીમિત નથી, પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના અન્ય શહેરો અને તાલુકાઓમાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ છે. હવે આ બાબતે તંત્ર શું પગલાં લે છે અને ક્યારે સુધી ફોર્મ ઉપલબ્ધ થાય છે, એ જોવાનું રહ્યું. ચીફ ઓફિસરે જણાવે કે રાજ્ય સરકારે ફોર્મ છપાવવા આપેલ હોય, જે 17-04-2025 ના રોજ જિલ્લામાં આવશે. ફોર્મ આવ્યાની બાદ કામગીરી શરૂ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર