ધાનેરા પાલિકા કચેરી ખાતે છેલ્લા 10 દિવસથી જન્મ અને મરણના દાખલાં મેળવવા આવેલ અરજદારો માટે મુશ્કેલીનો માહોલ સર્જાયો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તરફથી ફોર્મ નંબર 5 ની પૂરવઠા ન થવાથી દાખલાંની પ્રક્રિયા અટકી પડી છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો દાખલાં લેવા માટે કચેરી પહોંચે છે, પરંતુ ફોર્મની અછતને કારણે તેમને નિરાશ થતાં ધક્કાઓ ખાવા પડે છે. અરજદારો માટે આ પ્રક્રિયા વિઘ્નરૂપ બની રહી છે અને અનેક લોકો દિવસો સુધી દોડધામ કરવા મજબૂર બન્યા છે. ફોર્મ ન હોવાના કારણે બીજું કોઈ વિકલ્પ ન હોવાથી અરજદારો અટવાઈ ગયેલા છે. આ સ્થિતિએ પ્રશ્ન ઊભો થાય છે કે સ્થાનિક તંત્રે આ સ્થિતિનો પૂર્વ અંદાજ લઇને પહેલેથી વ્યવસ્થા શા માટે ન કરી? જણાવાયું છે કે આ સમસ્યા માત્ર ધાનેરા સુધી સીમિત નથી, પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના અન્ય શહેરો અને તાલુકાઓમાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ છે. હવે આ બાબતે તંત્ર શું પગલાં લે છે અને ક્યારે સુધી ફોર્મ ઉપલબ્ધ થાય છે, એ જોવાનું રહ્યું. ચીફ ઓફિસરે જણાવે કે રાજ્ય સરકારે ફોર્મ છપાવવા આપેલ હોય, જે 17-04-2025 ના રોજ જિલ્લામાં આવશે. ફોર્મ આવ્યાની બાદ કામગીરી શરૂ કરવામાં આવશે.
ધાનેરા; જન્મ-મરણ દાખલાં માટે ધર્મ ધક્કા અરજદારો મુશ્કેલીમાં

ટેગ્સ:#Dhanera#Banaskantha District#Community Impact#Local Administration Response#Health and Family Welfare Department#Administrative Challenges#Birth Certificates#Death Certificates#Municipal Office Issues#Applicant Disappointment#Public Service Delays#Certificate Processing#Government Permissions#Future Arrangements
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના ગાયત્રી મંદિર પાસેથી બાઈક ચોરનાર રાજસ્થાનનો શખ્સ ઝડપાયો
13 કલાક પહેલા
બનાસકાંઠાSMCનો મોટો દરોડો: ડીસા-પાટણ રોડ પર આસેડા કેનાલ પાસેથી ₹22.13 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
13 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના વડલાપુરા ત્રણ રસ્તા પાસે કાળમુખી કારની ટક્કરે યુવકનું કરુણ મોત
16 કલાક પહેલા
બનાસકાંઠામુડેઠા પાટિયા પાસે બસ અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર: મોટી જાનહાનિ ટળી, એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
16 કલાક પહેલા
