દેવનગરી ડીસા મધ્યે વિદ્યમાન બાબા રામદેવપીરના પરચાધારી મંદિરે વહેલી સવારથી જ બાબાના પ્યારા ન્યારા ભક્તો દર્શન કરવા ઉમટ્યાં હતાં. ભાદરવા સુદ બીજના પુનિત દિવસે બાબાનું અવતરણ થયું હોવાથી દરેક અજવાળી બીજ સવિશેષ મહિમા ધરાવે છે.એકવાર પાટોત્સવમાં મહા સુદ બીજે એક સાથે બાર જગ્યાએ હાજરી આપી હોવાથી બાબા રામદેવપીર બાર બીજના હાજરાહજૂર ધણી ગણાય છે.દૂર દૂરથી પગપાળા અને ગાડીમાં આવેલાં ભાવિક ભક્તોએ શ્રદ્ધા અનુસાર ભેટ પ્રસાદ અર્પણ કર્યાં હતાં અને સ્વસ્થ મસ્ત સ્વાસ્થ્ય મતિ અને સમૃદ્ધિ માટે બાબાના પાવન ચરણોમાં શીશ ઝૂકાવ્યું હતું.
ડીસાના રામદેવપીર મંદિરે શ્રદ્ધાળુઓ ઉમટ્યા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાઅમીરગઢની બનાસ નદીમાં નવા નીર : ચાલુ વર્ષે પહેલીવાર પાણી આવતા ખેડૂતોમાં ખુશી
13 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના લિઝા કોમ્પલેક્ષ પાછળ દુકાનના ભોંયરામાંથી આધેડની લાશ મળતા અરેરાટી
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાના કાંટ પાસે ટ્રેલર અને સ્વિફ્ટ કાર વચ્ચે ગંભીર અકસ્માત
1 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતીવાડાના ખેડા ભાખર ગામે મકાનમાં વીજળી પડી
1 દિવસ પહેલા
