દેવનગરી ડીસા મધ્યે વિદ્યમાન બાબા રામદેવપીરના પરચાધારી મંદિરે વહેલી સવારથી જ બાબાના પ્યારા ન્યારા ભક્તો દર્શન કરવા ઉમટ્યાં હતાં. ભાદરવા સુદ બીજના પુનિત દિવસે બાબાનું અવતરણ થયું હોવાથી દરેક અજવાળી બીજ સવિશેષ મહિમા ધરાવે છે.એકવાર પાટોત્સવમાં મહા સુદ બીજે એક સાથે બાર જગ્યાએ હાજરી આપી હોવાથી બાબા રામદેવપીર બાર બીજના હાજરાહજૂર ધણી ગણાય છે.દૂર દૂરથી પગપાળા અને ગાડીમાં આવેલાં ભાવિક ભક્તોએ શ્રદ્ધા અનુસાર ભેટ પ્રસાદ અર્પણ કર્યાં હતાં અને સ્વસ્થ મસ્ત સ્વાસ્થ્ય મતિ અને સમૃદ્ધિ માટે બાબાના પાવન ચરણોમાં શીશ ઝૂકાવ્યું હતું.
ડીસાના રામદેવપીર મંદિરે શ્રદ્ધાળુઓ ઉમટ્યા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર હાઈવે પર મોટી કાર્યવાહી: લક્ઝરી બસમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો
11 કલાક પહેલા
બનાસકાંઠાવૈશાખી વાયરાનો કહેર: સરહદી પંથકમાં પવનની પંખે ચડી ધૂળની ડમરીઓ!
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા મામલતદાર કચેરી ખાતે ચકલી ઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુરમાં ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇન લીકેજ: અફરાતફરી બાદ તંત્ર દોડતું થયું
1 દિવસ પહેલા
