દેવનગરી ડીસા મધ્યે વિદ્યમાન બાબા રામદેવપીરના પરચાધારી મંદિરે વહેલી સવારથી જ બાબાના પ્યારા ન્યારા ભક્તો દર્શન કરવા ઉમટ્યાં હતાં. ભાદરવા સુદ બીજના પુનિત દિવસે બાબાનું અવતરણ થયું હોવાથી દરેક અજવાળી બીજ સવિશેષ મહિમા ધરાવે છે.એકવાર પાટોત્સવમાં મહા સુદ બીજે એક સાથે બાર જગ્યાએ હાજરી આપી હોવાથી બાબા રામદેવપીર બાર બીજના હાજરાહજૂર ધણી ગણાય છે.દૂર દૂરથી પગપાળા અને ગાડીમાં આવેલાં ભાવિક ભક્તોએ શ્રદ્ધા અનુસાર ભેટ પ્રસાદ અર્પણ કર્યાં હતાં અને સ્વસ્થ મસ્ત સ્વાસ્થ્ય મતિ અને સમૃદ્ધિ માટે બાબાના પાવન ચરણોમાં શીશ ઝૂકાવ્યું હતું.
ડીસાના રામદેવપીર મંદિરે શ્રદ્ધાળુઓ ઉમટ્યા

સંબંધિત સમાચાર
બનાસકાંઠામડાલ-લાલપુર માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય: ચોમાસામાં જીવના જોખમે મુસાફરી
9 કલાક પહેલા
બનાસકાંઠાડીસાના ડાવસમાં ગ્રીન ક્રાંતિ: 112 એકરમાં રાજ્યનું સૌપ્રથમ 'વન કવચ' તૈયાર
9 કલાક પહેલા
બનાસકાંઠાડીસામાં વન મંત્રીના જન્મદિવસે રક્તદાન કેમ્પ: 241 લોકોએ ડોનેશન કર્યું બ્લડ
9 કલાક પહેલા
બનાસકાંઠાકંબોઈ ચોકડી વિસ્તારમાં ઓવરલોડ રેતી ભરેલા 10 ડમ્પર ઝડપાયા, કરોડોનો મુદ્દામાલ જપ્ત
9 કલાક પહેલા
