દેવનગરી ડીસા મધ્યે વિદ્યમાન બાબા રામદેવપીરના પરચાધારી મંદિરે વહેલી સવારથી જ બાબાના પ્યારા ન્યારા ભક્તો દર્શન કરવા ઉમટ્યાં હતાં. ભાદરવા સુદ બીજના પુનિત દિવસે બાબાનું અવતરણ થયું હોવાથી દરેક અજવાળી બીજ સવિશેષ મહિમા ધરાવે છે.એકવાર પાટોત્સવમાં મહા સુદ બીજે એક સાથે બાર જગ્યાએ હાજરી આપી હોવાથી બાબા રામદેવપીર બાર બીજના હાજરાહજૂર ધણી ગણાય છે.દૂર દૂરથી પગપાળા અને ગાડીમાં આવેલાં ભાવિક ભક્તોએ શ્રદ્ધા અનુસાર ભેટ પ્રસાદ અર્પણ કર્યાં હતાં અને સ્વસ્થ મસ્ત સ્વાસ્થ્ય મતિ અને સમૃદ્ધિ માટે બાબાના પાવન ચરણોમાં શીશ ઝૂકાવ્યું હતું.
ડીસાના રામદેવપીર મંદિરે શ્રદ્ધાળુઓ ઉમટ્યા

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના આંગણે ₹21 કરોડનું નવું નજરાણું: વેપાર અને સંસ્કૃતિનું હબ બનશે 'અર્બન હાટ'
2 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતીવાડાના ભીલાચલમાં એટીવીટી ગ્રાન્ટના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈંસ્પેક્ટર રાજ્યભરમાં શ્રેષ્ઠ કામગીરી
2 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા: ચડોતર બ્રિજ પર RTOની ગાડી ડિવાઈડર સાથે અથડાઈ, 3 કર્મીઓ ઇજાગ્રસ્ત
3 દિવસ પહેલા
