તાજેતરમાં ગંભીરા પુલ દુર્ઘટનાને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશો હેઠળ બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા તકેદારીના ભાગરૂપે જિલ્લાના તમામ પુલોનું નિરીક્ષણ તથા સેફ્ટી ઓડિટ કરવા માટે તમામ પ્રાંત અધિકારીઓને સૂચના કરાઈ હતી. જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન અને સૂચના અન્વયે દિયોદર પ્રાંત અધિકારી ડી.એન.કાછડએ વિવિધ ટીમો સાથે દિયોદર તાલુકામાં દિયોદર રેલ્વે ઓવર બ્રિજ, નેસડી અને કોતરવાડા બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન પુલોની માળખાકીય સ્થિતિ, વાહન વ્યવહારનું દબાણ, પાણી નિકાલની વ્યવસ્થા, ડેક પ્લેટ્સની મજબૂતીઓ, સાઈડ રેલિંગ્સ, ચિહ્નો અને સાઇનબોર્ડ્સ વગેરે બાબતોનું નિરીક્ષણ કરાયું હતું.
દિયોદર રેલ્વે ઓવર બ્રિજ, નેસડી અને કોતરવાડા બ્રિજનું નિરીક્ષણ કરાયું

ટેગ્સ:#District Collector#Banaskantha District#structural integrity#Deodar Taluka#Gambhira Bridge Accident#Bridge Inspection#Safety Audit#Deodar Railway Over Bridge#Nesdi Bridge#Kotarwada Bridge#Traffic Pressure#Water Drainage System#Deck Plates#Signage and Signboards
સંબંધિત સમાચાર
બનાસકાંઠારક્ષક જ બન્યો ભક્ષક ? ડીસામાં હોમગાર્ડ જવાન દારૂ સાથે રંગેહાથ પકડાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાવકીલો મેદાને: પાલનપુર કોર્ટ સંકુલના સ્થળાંતર સામે ઉગ્ર વિરોધ
1 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠામાં આભમાંથી અગનગોળા વરસ્યા: તાપમાન 40 ડીગ્રીને પાર
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં મનરેગા કર્મીઓ મેદાને: કાળી પટ્ટી બાંધી વિરોધ, પગાર મુદ્દે કામકાજ ઠપ્પ
1 દિવસ પહેલા
