સર્વે કરી સહાય:પાક ધિરાણ માફ:તળાવો ભરવાની માંગ
મેઘરાજાની મહેર ન થતાં બનાસકાંઠાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ચોમાસાની સિઝન અડધીથી વધુ પસાર થઈ હોવા છતાં જિલ્લામાં પૂરતો વરસાદ ન પડતાં ખેતીના પાક સામે સંકટ ઊભું થયું છે. ક્યાંક ખેતરોમાં ભેજ નથી તો ક્યાંક તળાવો હજુ કોરા છે. વરસાદની અછતથી ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલી વધી રહી છે ત્યારે ભારતીય કિસાન સંઘે હવે સરકાર સમક્ષ અછત જાહેર કરવાની જોરદાર માંગ ઉઠાવી છે.





