માતૃભૂમિની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનાર વીર મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા મથક પાલનપુરમાં મહારાણા પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જિલ્લા મથક પાલનપુર શહેરના કોજી ટાવર પાસે આવેલ વીર મહારાણા પ્રતાપની પુણ્યતિથિ નિમિત્તે હિન્દૂ સમાજના અગ્રણીઓ હિન્દુ રક્ષક મહારાણા પ્રતાપને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અને મહારાણા પ્રતાપ અમર રહો, ભારત માતાકી જયના નાદ સાથે તેઓને પુણ્યતિથિ પર તેમને સત સત નમન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે યુવા અગ્રણી જશવંત સિંહ વાઘેલા, બાવનસિંહ રાજપુત, ભુપેન્દ્રસિંહજી ચૌહાણ, દશરથજી રાજપુત સહિત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પાલનપુરમાં મહારાણા પ્રતાપની પુણ્યતિથીની ઉજવણી

સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસાના આંગણે ₹21 કરોડનું નવું નજરાણું: વેપાર અને સંસ્કૃતિનું હબ બનશે 'અર્બન હાટ'
3 દિવસ પહેલા
બનાસકાંઠાદાંતીવાડાના ભીલાચલમાં એટીવીટી ગ્રાન્ટના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની માંગ
3 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લા ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈંસ્પેક્ટર રાજ્યભરમાં શ્રેષ્ઠ કામગીરી
3 દિવસ પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા: ચડોતર બ્રિજ પર RTOની ગાડી ડિવાઈડર સાથે અથડાઈ, 3 કર્મીઓ ઇજાગ્રસ્ત
3 દિવસ પહેલા
