હિંમતનગરની હાથમતી નદીના પટમાંથી આજે સવારે એક નવજાત મૃત ભ્રૂણ મળી આવ્યું છે. સ્થાનિકોએ આ અંગે 112 નંબર પર જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના હિંમતનગરથી ભોલેશ્વર જતા હાથમતી ઓવરબ્રિજ નીચે બની હતી. નદીના પટમાં પથ્થરો વચ્ચે સ્થાનિકોને આ મૃત ભ્રૂણ જોવા મળ્યું હતું.સ્થાનિકો દ્વારા 112 જન રક્ષકને જાણ કરાતા, 112ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યારબાદ 112 દ્વારા હિંમતનગર બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે.આ ઘટનાને પગલે ઓવરબ્રિજ પર અવરજવર કરતા લોકોના ટોળા પણ જોવા મળ્યા હતા.
હિંમતનગરમાં હાથમતી નદીમાંથી મૃત ભ્રૂણ મળ્યું : પોલીસે તપાસ શરૂ

સંબંધિત સમાચાર
સાબરકાંઠાઇડરના ચિત્રોડા ગામે PMAY-G હેઠળ ૨૦ લાભાર્થીઓને મફત રહેણાંક પ્લોટની સણદો સાથે સ્થળ પર જ કબજો સોંપાયો
6 દિવસ પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા: પશુ કલ્યાણ અને આરોગ્ય યોજનાઓની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજાઈ
1 અઠવાડિયા પહેલા
સાબરકાંઠાસાબરકાંઠા સંકલન સમિતિ: લોકહિતના કામોમાં વિલંબ ચલાવી લેવાશે નહીં, કલેક્ટરની કડક તાકીદ
1 અઠવાડિયા પહેલા
સાબરકાંઠામોડાસા સિવિલ હોસ્પિટલ સપ્ટેમ્બરથી કાર્યરત કરવા કલેક્ટરની તાકીદ
1 અઠવાડિયા પહેલા
