આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચાર સાથે રોષ વ્યક્ત કરી મૃતાત્માઓની શાંતિ અર્થે પ્રાર્થના કરી; કાશ્મીરના પહેલગામ માં થયેલ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ ભારતીયોને શ્રદ્ધાંજલિ આપવા માટે બુધવારે પાટણ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ અને વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા સાંજે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ શહેરના બગવાડા દરવાજા ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પાટણ શહેર અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખો સહિત એનએસયુઆઈ ના કાર્યકરો,આગેવાનોએ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ ભારતીયોના મોત બદલ આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચાર કરી હુમલો કરનાર આતંકવાદીઓ સામે રોષ પ્રગટ કરી આતંકવાદીઓના અમાનુષ્ય હુમલાને સખત શબ્દોમાં વખોડી મૃતાંત્માઓની આત્માની શાંતિ અર્થે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધા સુમન સમર્પિત કર્યા હતા.
કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા મૃતાત્માઓની શાંતિ અર્થે કોંગ્રેસે કેન્ડલ માર્ચ યોજી

ટેગ્સ:#KASHMIR#Congress party#Patan district#Community Solidarity#Pahalgam#Candle March#Terrorist Attack#Tribute to Victims#NSUI#National Students' Union of India#Peace Vigil#Innocent Lives Lost#Public Condemnation#Shraddha Suman#Memorial Event
સંબંધિત સમાચાર
પાટણપાટણ : જનતાની હાલાકી જોઈ ઉમેદવારો મેદાને: વોર્ડ-૯ માં કોંગ્રેસ દ્વારા સ્વખર્ચે રોડ રિપેરિંગ કરાયું
2 દિવસ પહેલા
પાટણHNGU એડમિશન 2026-27 : પ્રવેશ પ્રક્રિયામાં મોટા બદલાવ, વિદ્યાર્થીઓ માટે નવી ગાઈડલાઈન
2 દિવસ પહેલા
પાટણપાટણ જિલ્લા બજરંગ દળ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો
2 દિવસ પહેલા
પાટણપાટણ : અપક્ષ ઉમેદવારને રેલીની મંજૂરી ન મળતા વકીલ મંડળ મેદાને આવ્યું
2 દિવસ પહેલા
