પવિત્ર શ્રાવણ માસમાં કતલખાના બંધ રાખવાની અને લારીઓ બંધ રાખવા શહેર ભાજપની માંગ

શહેરી વિસ્તારના મામલતદાર ને લેખિતમાં રજુઆત કરવામાં આવી; પવિત્ર શ્રાવણ માસમાં પાટણ માં ચાલતાં કતલખાનાઓ સદંતર બંધ રાખવાની સાથે જાહેરમાં ઉભી રહેતી નોનવેજની લારીઓ પણ સંપૂર્ણ પણે બંધ રાખવાની માંગ સાથે ગુરૂવારે શહેર ભાજપ દ્વારા શહેરી વિસ્તારના મામલતદાર ને લેખિતમાં રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
શહેર ભાજપ દ્વારા શહેરી વિસ્તારના મામલતદાર બાગબાન ને કરેલ લેખિત રજૂઆત મા જણાવ્યું હતું કે આગામી તા.૨૫/૦૭/૨૦૨૫ થી હિન્દુઓના પવિત્ર ગણાતાં શ્રાવણ માસનો પ્રારંભ થઈ છે ત્યારે શ્રાવણ માસના સમયગાળા દરમિયાન પાટણ શહેર તથા હાઇવે રોડ ઉપર અને જાહેર માર્ગો ઉપર માંસાહાર (નોનવેજ) નું વેચાણ થતું હોઇ લોકોની ધાર્મિક લાગણી દુભાઈ નહી તે હેતુથી જાહેર માર્ગો પર કે શહેરના વિસ્તારો માં માંસાહાર (નોનવેજ) નું વેચાણ ના થાય તથા જાહેર રસ્તાઓ ઉપર કોઈ માંસાહાર (નોનવેજ) ના કતલખાના ચાલુ ના રહે તેની તકેદારી રાખવા તેઓએ જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ટેગ્સ:#Patan city#Local Governance#Public Health Concerns#religious sentiments#Hindu traditions#Community Demands#City BJP#Slaughterhouse Closure#Holy Month of Shravan#Mamlatdar Submission#Urban Area Management#Public Road Usage#Food Safety Regulations
સંબંધિત સમાચાર
પાટણપાટણ : જનતાની હાલાકી જોઈ ઉમેદવારો મેદાને: વોર્ડ-૯ માં કોંગ્રેસ દ્વારા સ્વખર્ચે રોડ રિપેરિંગ કરાયું
2 દિવસ પહેલા
પાટણHNGU એડમિશન 2026-27 : પ્રવેશ પ્રક્રિયામાં મોટા બદલાવ, વિદ્યાર્થીઓ માટે નવી ગાઈડલાઈન
2 દિવસ પહેલા
પાટણપાટણ જિલ્લા બજરંગ દળ દ્વારા પૂતળા દહન કાર્યક્રમ યોજાયો
2 દિવસ પહેલા
પાટણપાટણ : અપક્ષ ઉમેદવારને રેલીની મંજૂરી ન મળતા વકીલ મંડળ મેદાને આવ્યું
2 દિવસ પહેલા
