પવિત્ર શ્રાવણ માસમાં કતલખાના બંધ રાખવાની અને લારીઓ બંધ રાખવા શહેર ભાજપની માંગ

શહેરી વિસ્તારના મામલતદાર ને લેખિતમાં રજુઆત કરવામાં આવી; પવિત્ર શ્રાવણ માસમાં પાટણ માં ચાલતાં કતલખાનાઓ સદંતર બંધ રાખવાની સાથે જાહેરમાં ઉભી રહેતી નોનવેજની લારીઓ પણ સંપૂર્ણ પણે બંધ રાખવાની માંગ સાથે ગુરૂવારે શહેર ભાજપ દ્વારા શહેરી વિસ્તારના મામલતદાર ને લેખિતમાં રજુઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
શહેર ભાજપ દ્વારા શહેરી વિસ્તારના મામલતદાર બાગબાન ને કરેલ લેખિત રજૂઆત મા જણાવ્યું હતું કે આગામી તા.૨૫/૦૭/૨૦૨૫ થી હિન્દુઓના પવિત્ર ગણાતાં શ્રાવણ માસનો પ્રારંભ થઈ છે ત્યારે શ્રાવણ માસના સમયગાળા દરમિયાન પાટણ શહેર તથા હાઇવે રોડ ઉપર અને જાહેર માર્ગો ઉપર માંસાહાર (નોનવેજ) નું વેચાણ થતું હોઇ લોકોની ધાર્મિક લાગણી દુભાઈ નહી તે હેતુથી જાહેર માર્ગો પર કે શહેરના વિસ્તારો માં માંસાહાર (નોનવેજ) નું વેચાણ ના થાય તથા જાહેર રસ્તાઓ ઉપર કોઈ માંસાહાર (નોનવેજ) ના કતલખાના ચાલુ ના રહે તેની તકેદારી રાખવા તેઓએ જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ટેગ્સ:#Patan city#Local Governance#Public Health Concerns#religious sentiments#Hindu traditions#Community Demands#City BJP#Slaughterhouse Closure#Holy Month of Shravan#Mamlatdar Submission#Urban Area Management#Public Road Usage#Food Safety Regulations
સંબંધિત સમાચાર
પાટણપાટણ હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા દેખાતા ફફડાટ : સુરક્ષિત રેસ્ક્યુ કરાયું
3 દિવસ પહેલા
પાટણપાટણ પાલિકાની જાહેર કરાયેલી પ્રાથમિક મતદાર યાદીમાં કુલ 1,08,999 મતદારો નોંધાયા
5 દિવસ પહેલા
પાટણચાણસ્માના ઝિલીયા ફાર્મ હાઉસ હુમલા કેસમાં 18 આરોપીઓના જામીન મંજૂર
6 દિવસ પહેલા
પાટણપાટણમાં યુથ કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારાની સાથે અછત મામલે વિરોધ પ્રદર્શન કરાયુ
6 દિવસ પહેલા
