ખેલ સહાયકો ના 32 દિવસથી ચાલતાં આંદોલન નું મુખ્યમંત્રી દ્રારા સુખદ સમાધાન

મુખ્યમંત્રીએ કમિટી બનાવી ખેલ સહાયકો ની કાયમી ભરતી પ્રક્રિયા હાથ ધરવાની ખાતરી આપી; છેલ્લા 32 દિવસ થી આંદોલન કરી રહેલા ગુજરાતના 1500 ખેલ સહાયકો ના આંદોલન નો આખરે સુખદ અંત આવતાં આંદોલન કારીઓએ પોતાનું આંદોલન સમેટી લઈ અટકાયત કરાયેલા શિક્ષકોને પણ છુટા કરાતાં સૌએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
છેલ્લા 32 દિવસ થી આંદોલન કરી રહેલા ગુજરાતના 1500 ખેલ સહાયકો ના આંદોલન નોમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સરકાર ના વિવિધ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત અને ક્રીડા ભારતી ગુજરાતના હોદેદારો વચ્ચે ગુરુવારે લંબાણ પૂર્વક ચાલેલી ચર્ચામાં મુખ્યમંત્રીએ આ મામલે કમિટી બનાવી ખેલ સહાયકો ની કાયમી ભરતી પ્રક્રિયા હાથ ધરવા આગળ વધવા સૂચના આપતા આંદોલન કરતા વ્યાયામ શિક્ષકોનું નેતૃત્વ કરતા ચાર મુખ્ય વ્યક્તિઓએ પણ વાટાઘાટો માં સામેલ થઈ પોતાનો સંતોષ વ્યક્ત કરી આંદોલન હાલ પુરતું મુલત્વી રાખવા માટે તૈયાર થયાં હતાં અને આંદોલન કારી મોટી સંખ્યામાં અટકાયત કરવામાં આવેલા શિક્ષકોને પણ છુટા કરતા તમામે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત રાજય સરકાર નો આભાર વ્યક્ત કરી પોતાના ઘરે પરત ફર્યા હોવાનું જાણવા મળ્યું છે.
ટેગ્સ:#State Government Response#Sports Assistants Agitation#Gujarat Chief Minister Involvement#Permanent Recruitment Process#Resolution of Protests#All India National Educational Federation#Krida Bharati Gujarat#Teacher Detentions and Releases#Government-Employee Relations#Agitation Duration: 32 Days#Community Gratitude to Government#Educational Workforce Issues
સંબંધિત સમાચાર
પાટણપાટણ યુનિવર્સિટીનો મોટો નિર્ણય: નિયમ ભંગ બદલ ૧૭ સંલગ્ન કોલેજોને બંધ કરવાની નોટિસ
1 દિવસ પહેલા
પાટણરાધનપુર તાલુકાના કમાલપુરમાં વહીવટી બેદરકારી: તલાટી-વીસી ગેરહાજર રહેતાં વિદ્યાર્થીઓ પરેશાન
1 દિવસ પહેલા
પાટણરાધનપુરના કલ્યાણપુરામાં રેશનકાર્ડ બંધનો વિવાદ ઉગ્ર : જમીન વિહોણા અને ગરીબ પરિવારોને અનાજથી વંચિત રાખ્યાનો આક્ષેપ
2 દિવસ પહેલા
પાટણહારીજ પંથકમાં નરાધમતાની પરાકાષ્ઠા: સગીરા પર ત્રણ શખ્સોનો બળાત્કાર, ગુનો નોંધાયો
2 દિવસ પહેલા
