રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
બનાસકાંઠા1 મે, 2026| Super Admin

વાતાવરણમાં પલટો : બનાસકાંઠામાં ધૂળની ડમરીઓથી આકાશ ધૂંધળાયું

વાતાવરણમાં પલટો : બનાસકાંઠામાં ધૂળની ડમરીઓથી આકાશ ધૂંધળાયું

જિલ્લામાં 12 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનથી ગરમીમાં રાહત, પરંતુ ખેડૂતોમાં ચિંતા

બાજરી સહિત ઉભા પાકોને પવનના કારણે નુકસાન થવાની ભીતિ

સરહદી વિસ્તાર ગણાતા બનાસકાંઠા જિલ્લોમાં વૈશાખ માસની આકરી ગરમી વચ્ચે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. બુધવારે દિવસ દરમિયાન આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યા બાદ સાંજના સમયે ધૂળની ડમરીઓ ઉડતાં સમગ્ર વિસ્તાર ધૂંધળો બન્યો હતો. ગુરુવારે જિલ્લામાં આશરે 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા હવામાં ધૂળનું આવરણ છવાઈ ગયું હતું.

ઉનાળાની સિઝનમાં સરહદી વિસ્તારોમાં ધૂળભરી આંધીઓ સામાન્ય બની રહેતી હોય છે, પરંતુ છેલ્લા બે દિવસથી બદલાયેલા વાતાવરણને કારણે લોકોને ગરમીમાંથી રાહત અનુભવાઈ રહી છે. જિલ્લામાં તાપમાનનો પારો અંદાજે 40 ડિગ્રી આસપાસ નોંધાયો હતો. જોકે, ધૂળયુક્ત વાતાવરણને કારણે સામાન્ય જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે. ખાસ કરીને શ્વાસના દર્દીઓ અને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ધૂળની ડમરીઓના કારણે દૃશ્યતા ઘટી હતી.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર