સિધ્ધપુર યોગાંજલિ વિદ્યાવિહાર ખાતે દીકરીઓના આરોગ્ય સુરક્ષા માટે સિદ્ધપુરમાં પ્રથમ મહત્વપૂર્ણ પહેલ તરીકે સર્વાઇકલ કેન્સરની રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૨૦ દીકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવી હતી. સર્વાઇકલ કેન્સર જેવી ગંભીર બીમારીથી વહેલી વયે સુરક્ષા મળી રહે તે હેતુથી આ રસીકરણ અત્યંત જરૂરી અને લાભદાયી સાબિત થાય છે. દીકરીઓના ઉજ્જવળ અને સ્વસ્થ ભવિષ્ય માટે આરોગ્યલક્ષી કાર્યક્રમો સમાજ માટે માર્ગદર્શક બનશે. યોગાંજલિ દ્વારા આગામી સમયમાં બાળકો, યુવતીઓના આરોગ્ય તથા શિક્ષણને પ્રાધાન્ય આપતા સેવાકીય કાર્યક્રમો યોજાશે.
સિદ્ધપુરમાં સર્વાઇકલ કેન્સર રસીકરણ કાર્યક્રમ યોજાયો

સંબંધિત સમાચાર
પાટણરાધનપુર બજારમાં ગેરકાયદે કેબીનો સામે નગરપાલિકાનું બુલડોઝર ફર્યું
3 દિવસ પહેલા
પાટણપાટણ LCBએ આદિપુર પોલીસ સ્ટેશનના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
4 દિવસ પહેલા
પાટણપાટણના સુજનીપુર પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત: મુસાફરોનો આબાદ બચાવ
4 દિવસ પહેલા
પાટણપાટણમાં સામાન્ય વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
5 દિવસ પહેલા
