ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આહવાનથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે. જેને અનુલક્ષીને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે તિરંગા યાત્રાને સિધ્ધપુર એલ.એસ.હાઇસ્કુલ, મુકામે થી લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. વહીવટી તંત્રના નેજા હેઠળ નીકળેલ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, બાળકો, બાલિકાઓ અને શહેરીજનો જોડાયા હતા. દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત હર ઘર તિરંગા કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સિદ્ધપુરના નગરજનોએ જહેમત ઉઠાવી હતી. આ તિરંગા યાત્રામાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત,જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, નગરપાલિકા પ્રમુખ સાથે સંગઠનના હોદ્દેદારો અને જિલ્લાના ઉચ્ચ અધિકા રીઓ,પદાધિકારીઓ જોડાયા હતા.
સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી દ્વારા તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી

સંબંધિત સમાચાર
પાટણપાટણના નવીન બસપોર્ટ પર ગંદકીના સામ્રાજ્યને લઈ મુસાફર જનતા ત્રાહિમામ બની
2 દિવસ પહેલા
પાટણપાટણ યુનિવર્સિટી દ્વારા સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને 15% ફી વધારો મંજૂર કરાયો
2 દિવસ પહેલા
પાટણપાટણ: પાલિકા પ્રમુખના જ વિસ્તારમાં લાખો લીટર પાણીનો વેડફાટ, રહીશોમાં રોષ
2 દિવસ પહેલા
પાટણપાટણમાં પેટ્રોલ-ડીઝલની સંગ્રહખોરી કરનારા સામે તંત્રની લાલ આંખ
2 દિવસ પહેલા
