બિહારની પ્રખ્યાત લોકગાયિકા શારદા સિંહાનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમ શ્વાસ

પ્રખ્યાત લોક ગાયિકા શારદા સિંહા હવે આપણી વચ્ચે નથી. તેમણે આજે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તે લાંબા સમયથી બીમાર હતી. તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. શારદાને બિહારની નાઇટિંગેલ કહેવામાં આવતી હતી. શારદા સિંહા 72 વર્ષના હતા.
મંગળવારે મોડી સાંજથી શારદા સિંહાની તબિયત લથડવા લાગી હતી. સાંજથી કિડનીની તકલીફ વધી ગઈ હતી. તેમનું ક્રિએટિનાઇન પણ વધી ગયું હતું. તેમનું ડાયાલિસિસ શરૂ કરવામાં આવ્યું હતું. વેન્ટિલેટર પર જ તેમનું મૃત્યુ થયું હતું. તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રી અને પદ્મ ભૂષણના પુરસ્કારો પણ મળ્યા હતા.
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયપશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ સાત સમુદ્ર પારથી પીએમ મોદીને અભિનંદનનો વરસાદ
14 કલાક પહેલા
રાષ્ટ્રીયસુવેન્દુ અધિકારીના પીએની હત્યા પર ટીએમસીનું પહેલું નિવેદન
18 કલાક પહેલા
રાષ્ટ્રીયશુભેન્દુ અધિકારીના પીએની ગોળી મારીને હત્યા
18 કલાક પહેલા
રાષ્ટ્રીયપશ્ચિમ બંગાળમાં 9 મેના રોજ સવારે 10 વાગ્યે નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે
1 દિવસ પહેલા
