રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા20 સપ્ટેમ્બર, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લાની ૪૫૦ શાળાઓ માટે ભારતીય જ્ઞાન સંસ્કૃતિની પરીક્ષાનું આયોજન

બનાસકાંઠા જિલ્લાની ૪૫૦ શાળાઓ માટે ભારતીય જ્ઞાન સંસ્કૃતિની પરીક્ષાનું આયોજન
ધોરણ ૫ થી ૧૨ અને કોલેજ કક્ષાએ ૩૬૫૦૦ વિધાર્થીઓએ પરીક્ષા આપી ભારતીય સંસ્કૃતિની પ્રતિષ્ઠા ગૌરવ અને ગરિમા અસ્મિતાનું વિદ્યાર્થીઓનું જ્ઞાન થાય અને તેઓનું માનસિક બૌધિક અને વ્યવહારિક નૈતિકતાનું સ્તર ઊંચું આવે તે માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકૃજ હરિદ્વાર દ્વારા ભારતના 24 રાજ્યોમાં જુદી જુદી નવ ભાષાઓમાં ભારતીય જ્ઞાન સંસ્કૃતિ પરીક્ષાનું આયોજન થાય છે જેમાં ગુજરાતી ભાષામાં સમગ્ર રાજ્યમાં પરીક્ષાનું આયોજન થાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલી પણ ૪૫૦ થી વધુ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સહિત કોલેજોમાં પરીક્ષાઓનું આયોજન ગતરોજ તા.૧૯ અને ૨૦ સપ્ટેમ્બરના રોજ થયું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લામાં ગુજરાતીને અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા લેવાઈ હતી. જેમાં ૩૬૫૦૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. શાળા કોલેજોના શિક્ષકોએ સહયોગ પુરો પાડતા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા શાંતિ પુર્વક માહોલમાં પૂર્ણ થઈ હતી. જેમાં પાસ થનાર વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવશે. આ ઉપરાંત તાલુકા કક્ષાએ ધોરણ પ્રમાણે એકથી ત્રણ નંબરના વિદ્યાર્થીઓને તાલુકા લેવલે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવશે.    

સંબંધિત સમાચાર