રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા16 નવેમ્બર, 2024| Super Admin

બનાસકાંઠાના ગલગોટાની સુગંઘ અમદાવાદમાં

માલણના ખેડૂતોએ ફૂલો વેચવા માટે માર્કેટ જવું નથી પડતું સામે ચાલીને વેપારીઓ ખેતરથી ખરીદી જાય છે

બનાસકાંઠામાં ખેડૂતો અનાજ, શાકભાજી, ફળો સહિતની ખેતી કરતા હોય છે. સાથે સાથે પાલનપુર તાલુકાના માલણ ગામે રહેતા ખેડૂતે ફૂલોની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. ખેડૂતોએ ફૂલોની ખેતી કરીને વેચવા માટે માર્કેટમાં જવું પડતું નથી, સામા પગે વેપારીઓ ખેતરમાં આવીને ફૂલોની ખરીદી કરી જાય છે.પાલનપુરથી માલણ સુધી 20થી 25 જેટલાં ખેડૂતો ગલગોટાની ખેતી કરી છે. ખેડૂતોનું કહેવું છે કે, ગલગોટા વેચવા માર્કેટમાં જવું નથી પડતું, અમદાવાદ થી વેપારીઓ ખેતરમાંથી જ ગલગોટા લઈ જાય છે જેનું બચત થાય છે.ખેડૂતે જણાવ્યુ હતુ કે, આ વર્ષે શિયાળો શરૂ થયો, છતાં ઠંડી પ્રમાણ નહીંવત છે. એટલે ઘઉં જેવા પાકો ઉઘાડવામાં તકલીફ છે. પરંતુ હવે ખેડૂતો અનાજ ,શાકભાજી સિવાય પણ ખેડૂતો ફૂલોની ખેતી કરી રહ્યા છે. જેમાં ખેડૂતોને તહેવારોમાં ફૂલોનો સારો એવો ભાવ મળે છે અને આડે દિવસે કિલો દીઠ 35થી 40 રૂપિયા જેટલો ભાવ મળે છે, જેથી ફૂલોની ખેતી કરી અમે સારી એવી આવક મેળવી રહ્યા છીએ.આ વર્ષે એક વીઘા ખેતરમાં ગલગોટા ની ખેતી કરી છે. જેમાં અંદાજે પાલનપુરથી માલણ સુધીમાં 20થી 25 જેટલા ખેડૂતો આ ગલગોટાની ખેતી કરે છે. અને ગલગોટાના ફૂલોની ખરીદી કરવા અમદાવાદથી વેપારી આવી ખેતરેથી માલની લઈ જાય છે. જેથી માર્કેટમાં વેચવા જવાની જરૂર પડતી નથી.

સંબંધિત સમાચાર