ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળની સરકારને ચીમકી : 2 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની હડતાળ
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા ગ્રામસેવક કેડરના લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ સંતોષકારક નિર્ણય ન લેવાતા ગ્રામસેવકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે બનાસકાંઠાના ગ્રામ સેવકોએ કલેકટરને આવેદન પત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી.

મહામંડળના જણાવ્યા મુજબ ગ્રામસેવક કર્મચારીઓના પ્રશ્નોને લઈને અગાઉ સરકાર અને સંબંધિત વહીવટી તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં પ્રશ્નોની સતત અવગણના થતી હોવાના આક્ષેપ સાથે મહામંડળે હવે આંદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે. મહામંડળે સરકારને તાત્કાલિક ગ્રામસેવકોના પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા અને કર્મચારીઓ સાથે સંવાદ સાધવાની માંગ કરી છે. સાથે જ આંદોલન દરમિયાન કૃષિ તથા ગ્રામ્ય ક્ષેત્રને લગતી કામગીરીને અસર થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સરકાર તથા સંબંધિત વહીવટી તંત્રની રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.





