રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા5 જુલાઈ, 2025| Super Admin

પાલનપુરની પ્રાથમિક સ્કૂલોમાં શનિવારે બેગલેસ ડેનો પ્રારંભ

પાલનપુરની પ્રાથમિક સ્કૂલોમાં શનિવારે બેગલેસ ડેનો પ્રારંભ
સ્કૂલમાં અભ્યાસ કરવા જતાં બાળકો વગર દફતરે સ્કૂલ પહોંચ્યા બનાસકાંઠાની પ્રાથમિક શાળાઓમાં 5 જુલાઇ શનિવારથી બેગલેસ ડે અભિયાનનો પ્રારંભ થયો છે. જેમાં બાળકો શનિવારે બેગ વિના સ્કૂલે આવ્યાં હતાં.જ્યાં બાળકોને આજે શાળામાં અભ્યાસ સિવાય અન્ય ઇતર પ્રવૃતિ કરવાઈ હતી.જ્યાં બાળકો પણ આજે સ્કૂલ બેગ વિના શાળામાં આવતાં બાળકોએ ખુશી અનુભવી હતી.બનાસકાંઠામાં શનિવાર ( 5 જુલાઈથી) થી બેગલેસ સ્કૂલનો અમલ થયો છે.જ્યાં સરકારની ન્યુ એજન્યુકેશન પોલિસી 2022 ના નિયમની ધીમે ધીમે અમલવારી શરૂ થઈ રહી છે.ન્યુ એજ્યુકેશન પોલીસીના હેઠળ બાળકોને દર શનિવારે હવે સ્કૂલ બેગ વિના જ બાળકોને સ્કૂલે બોલાવવામા આવ્યા હતાં.પાલનપુર ખાતે આવેલી ફાંસીયા ટેકરા સ્થિત પ્રાથમિક ખાતે પણ બાળકો સ્કૂલબેગ સિવાય આવ્યાં હતાં.જેમાં શિક્ષકો દ્વારા બાળકોને ઇતર પ્રવૃત્તિ કરાવીને તેમની પ્રતિભાને ખીલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.બેગલેસ ડે શરૂ કરવાનો ઉદેશ બાળકોનો સર્વાગી વિકાસ કરવાનો છે. શનિવારના દિવસે શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિ નહિ પરંતુ માત્ર ઈતર પ્રવૃત્તિઓ જ કરાવવામાં આવી હતી. બાળકો ભાર વગરનું ભણતર ગ્રહણ કરતાં માનસિક હળવાશ અનુભવશે બેગલેસ ડેના સેલિબ્રેશનનો ઉદેશ ન માત્ર બાળકોને ઇત્તર પ્રવૃતિ કરાવીને તેમને અન્ય કલા પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે .પરંતુ આ સાથે બાળકો ભાર વગરનું ભણતર ગ્રહણ કરે અને માનસિક હળવાશ સાથે અભ્યાસ કરે.વીક એન્ડને આનંદમય બનાવતા બાળકો માનસિક રીતે પણ પ્રફુલ્લિત રહે .જેથી સોમવારથી વધુ સારી રીતે અને એકાગ્રચિતે અભ્યાસ કરી શકે. બેગ ડેથી બાળકો તણાવ મુક્ત થાય તેવો ઉદેશ પણ છે.

સંબંધિત સમાચાર