રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
વાવ-થરાદ21 જાન્યુઆરી, 2026| Super Admin

રાજ્ય કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે વાવ ખાતે વહીવટી તંત્ર દ્વારા વિશાળ તિરંગા યાત્રા નીકળી

રાજ્ય કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે વાવ ખાતે વહીવટી તંત્ર દ્વારા વિશાળ તિરંગા યાત્રા નીકળી
આગામી 26 જાન્યુઆરીના રોજ થરાદ મુકામે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના પ્રયાસો થકી રાજ્ય કક્ષાના રાષ્ટ્રીય પર્વ એવા 26 જાન્યુઆરીની ભવ્ય ઉજવણી થનાર છે. જેની તૈયારીના ભાગ રૂપે ગત રોજ વાવ ખાતે વહીવટી તંત્ર દ્વારા વાવની સરકારી વિનયન કોલેજથી વાવ શહેરના મહારાણા પ્રતાપ ચોક સુધી એક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. સમગ્ર શહેરના વિવિધ વિસ્તારોમાં દેશ ભક્તિના નારા સાથે નીકળેલી તિરંગા યાત્રા સમગ્ર શહેરનું આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી.સમગ્ર શહેરનું વાતાવરણ દેશ ભક્તિ ના રંગે રગાઈ ગયું હતું.વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલ તિરંગા યાત્રા વાવ શહેરના મહારાણા પ્રતાપ ચોક પહોંચી તેમની પ્રતિમાને ફુલહાર ચડાવી દેશ ભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા.જે પ્રસંગે સરકારી અધિકારી ગણ કર્મચારી ગણ કોલેજ અને સ્કૂલના વિદ્યાર્થી મિત્રો પોલીસમિત્રો તેમજ રાજકીય અગ્રણીઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.  

સંબંધિત સમાચાર