રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
મનોરંજન13 ડિસેમ્બર, 2024| Super Admin

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને પોલીસે કસ્ટડીમાં મહિલાના મોતના મામલામાં પોલીસે તેની અટકાયત કરી

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને પોલીસે કસ્ટડીમાં મહિલાના મોતના મામલામાં પોલીસે તેની અટકાયત કરી
અલ્લુ અર્જુન તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા 2: ધ રૂલ’ની સફળતાની ઉજવણી કરી રહ્યો છે. અભિનેતાની ફિલ્મે વિશ્વભરમાં રૂ. 1,000 કરોડનો આંકડો પાર કરી લીધો છે. દરમિયાન, અભિનેતા વિશે એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. ટોલીવુડ સુપરસ્ટાર સંધ્યા થિયેટર મહિલાના મોતના મામલામાં પોલીસે તેની અટકાયત કરી છે. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા 2 ના સ્પેશિયલ સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગમાં 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું અને બે બાળકો ઘાયલ થયા હતા. આ કેસમાં હવે અભિનેતાની અટકાયત કરવામાં આવી છે. પુષ્પા 2 નું પ્રીમિયર 4 ડિસેમ્બરની સવારે હૈદરાબાદના સંધ્યા થિયેટર ખાતે પુષ્પા 2: ધ રૂલની રિલીઝ પહેલા યોજાયું હતું. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના પણ ફિલ્મના પ્રીમિયરમાં હાજરી આપી હતી. આ સમાચાર ફેલાતાની સાથે જ સુપરસ્ટારને જોવા માટે હજારોની ભીડ ઉમટી પડી હતી. આ દરમિયાન સંધ્યા થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી અને તેમાં એક મહિલાનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે મૃતકના પરિવારની ફરિયાદ પર અલ્લુ અર્જુન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો. હવે આ મામલામાં પોલીસે અલ્લુ અર્જુનની અટકાયત કરી છે. અલ્લુ અર્જુન ઘટના બાદથી પીડિતાના પરિવારને સપોર્ટ કરી રહ્યો છે. અકસ્માત અંગે શોક વ્યક્ત કરતા સુપરસ્ટારે પીડિત પરિવારને આર્થિક મદદનું વચન પણ આપ્યું હતું. અલ્લુ અર્જુને પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.

સંબંધિત સમાચાર