રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા8 માર્ચ, 2026| Super Admin

ડીસામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શાનદાર ઉજવણી

ડીસામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શાનદાર ઉજવણી
 તેરાપંથ મહિલા મંડળ દ્વારા પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન ​દીક્ષાર્થીના માતા રસીલાબેન પરીખનું પ્રેરણા સન્માનથી ગૌરવ ગાન   અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળના તત્વાવધાન હેઠળ, ડીસા તેરાપંથ મહિલા મંડળ દ્વારા 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે એક ગૌરવપૂર્ણ અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ અને એનજીઓના પ્રતિનિધિઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી નારી શક્તિનો પરિચય આપ્યો હતો. ​કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન ઠક્કર તેમજ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ વર્ષાબેન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે તેરાપંથ મહિલા મંડળના અધ્યક્ષા સંગીતાબેન બોરડિયાએ પ્રાસંગિક ઉદબોધન સાથે તમામ અતિથિઓ અને વિવિધ સંસ્થાઓના હોદ્દેદારોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.​કાર્યક્રમ દરમિયાન તેરાપંથ મહિલા મંડળની બહેનો દ્વારા વિષયને અનુરૂપ સુંદર અને રોચક રજૂઆત કરવામાં આવી હતી, જેણે શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ સંસ્થાઓ જેવી કે​ભારત વિકાસ પરિષદ​,બાલ સંસ્કાર કેન્દ્ર​સ્ત્રી સમાજ, ​નેમિનાથ મહિલા મંડળ જેવી  સંસ્થાઓના હોદ્દેદારોએ મહિલા સશક્તિકરણ, શિક્ષણ અને આત્મનિર્ભરતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, જ્યારે મહિલા જાગૃત બને છે ત્યારે જ સમાજમાં સાચું પરિવર્તન આવે છે. ​આ અવસરે દીક્ષાર્થીના માતા શ્રીમતી રસીલાબેન ચીનુભાઈ પરીખનું 'પ્રેરણા સન્માન' આપી વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું  ​કાર્યક્રમના અંતે હર્ષિદાબેન શ્રીશ્રીમાલ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, સંસ્થાઓના પ્રતિનિધિઓ અને નગરજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ નારી શક્તિના ઉત્સાહ અને સંકલ્પ સાથે સંપન્ન થયો હતો.    

સંબંધિત સમાચાર