રાણકપુરથી રાધનપુર સુધી રૂ.33 કરોડના ખર્ચે પાણીની પાઇપ લાઇનથી શુદ્ધ પાણી મળશે

રાણકપુર-રાધનપુર મીઠા પાણીની પાઇપલાઇનનું ઉદ્ધાટન કરતા રાધનપુર ધારાસભ્ય
રાધનપુર શહેરમાં વર્ષોથી પીવાના શુદ્ધ પાણી માટે વલખાં મારતા સ્થાનિકોની સુખાકારી માટે રૂ.33 કરોડના ખર્ચે તૈયાર થયેલી રાણકપુર-રાધનપુર મીઠા પાણીની પાઇપલાઇનનું ગતરોજ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ સાકાર થતા હવે અંદાજે 1 લાખ જેટલી જનતાને પોતાના ઘરઆંગણે શુદ્ધ અને મીઠું પાણી ઉપલબ્ધ થશે. લાંબા સમયથી ક્ષારયુક્ત અને અશુદ્ધ પાણી પીવા મજબૂર બનેલા લોકો માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ છે. શુદ્ધ પાણી મળવાથી જળજન્ય રોગોમાં ઘટાડો થશે. અને લોકોના આરોગ્યમાં સુધારો આવશે. આ લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી ઠાકોર, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશી અને કારોબારી સભ્ય દેવજીભાઈ પટેલ સહિતના આગેવાનો, કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા.
ટેગ્સ:#Drinking Water#MLA Lovingji Thakor#Radhanpur MLA#Radhanpur water pipeline#Ranakpur#clean water
સંબંધિત સમાચાર
પાટણઊંઝા મક્તુપુર હાઇવે પર રામદેવ હોટલ પાસે ત્રિપલ અકસ્માત : ચોકીદાર સહિત બેને ઇજા
17 કલાક પહેલા
પાટણસાંતલપુરના ઝેકડા ગામે બંધ મકાનને નિશાન બનાવી ૧.૪૩ લાખથી વધુની ચોરી
18 કલાક પહેલા
પાટણપાટણમાં કોંગ્રેસ દ્વારા ભાવનગર દારૂ કાંડના વિરોધમાં ધરણાં યોજાયા
1 દિવસ પહેલા
પાટણપાટણ શંકાસ્પદ લાલ ચટણીનો ૬૭૮ કિલોગ્રામ જથ્થો FDCA દ્વારા સીઝ
3 દિવસ પહેલા
