રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ23 ફેબ્રુઆરી, 2026| Super Admin

રાણકપુરથી રાધનપુર સુધી રૂ.33 કરોડના ખર્ચે પાણીની પાઇપ લાઇનથી શુદ્ધ પાણી મળશે

રાણકપુરથી રાધનપુર સુધી રૂ.33 કરોડના ખર્ચે પાણીની પાઇપ લાઇનથી શુદ્ધ પાણી મળશે
રાણકપુર-રાધનપુર મીઠા પાણીની પાઇપલાઇનનું ઉદ્ધાટન કરતા રાધનપુર ધારાસભ્ય રાધનપુર શહેરમાં વર્ષોથી પીવાના શુદ્ધ પાણી માટે વલખાં મારતા સ્થાનિકોની સુખાકારી માટે રૂ.33 કરોડના ખર્ચે તૈયાર થયેલી રાણકપુર-રાધનપુર મીઠા પાણીની પાઇપલાઇનનું ગતરોજ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ સાકાર થતા હવે અંદાજે 1 લાખ જેટલી જનતાને પોતાના ઘરઆંગણે શુદ્ધ અને મીઠું પાણી ઉપલબ્ધ થશે. લાંબા સમયથી ક્ષારયુક્ત અને અશુદ્ધ પાણી પીવા મજબૂર બનેલા લોકો માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ છે. શુદ્ધ પાણી મળવાથી જળજન્ય રોગોમાં ઘટાડો થશે. અને લોકોના આરોગ્યમાં સુધારો આવશે. આ લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી ઠાકોર, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશી અને કારોબારી સભ્ય દેવજીભાઈ પટેલ સહિતના આગેવાનો, કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા.    

સંબંધિત સમાચાર