રાણકપુરથી રાધનપુર સુધી રૂ.33 કરોડના ખર્ચે પાણીની પાઇપ લાઇનથી શુદ્ધ પાણી મળશે

રાણકપુર-રાધનપુર મીઠા પાણીની પાઇપલાઇનનું ઉદ્ધાટન કરતા રાધનપુર ધારાસભ્ય
રાધનપુર શહેરમાં વર્ષોથી પીવાના શુદ્ધ પાણી માટે વલખાં મારતા સ્થાનિકોની સુખાકારી માટે રૂ.33 કરોડના ખર્ચે તૈયાર થયેલી રાણકપુર-રાધનપુર મીઠા પાણીની પાઇપલાઇનનું ગતરોજ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ સાકાર થતા હવે અંદાજે 1 લાખ જેટલી જનતાને પોતાના ઘરઆંગણે શુદ્ધ અને મીઠું પાણી ઉપલબ્ધ થશે. લાંબા સમયથી ક્ષારયુક્ત અને અશુદ્ધ પાણી પીવા મજબૂર બનેલા લોકો માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ છે. શુદ્ધ પાણી મળવાથી જળજન્ય રોગોમાં ઘટાડો થશે. અને લોકોના આરોગ્યમાં સુધારો આવશે. આ લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય લવિંગજી ઠાકોર, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોશી અને કારોબારી સભ્ય દેવજીભાઈ પટેલ સહિતના આગેવાનો, કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા.
ટેગ્સ:#Drinking Water#MLA Lovingji Thakor#Radhanpur MLA#Radhanpur water pipeline#Ranakpur#clean water
સંબંધિત સમાચાર
પાટણપાટણ તંત્રની બેદરકારી સામે આવી, ઢોર ડબ્બામાં 4 ગાયોના મોત મામલે તપાસની માંગ
21 કલાક પહેલા
પાટણપાટણ કોન્ટ્રાક્ટર એસો.દ્વારા બિલ્ડિંગ મટિરિયલ્સના ભાવ વધારા મામલે કલેક્ટરને આવેદન આપ્યું
21 કલાક પહેલા
પાટણજન રક્ષક અને ચાઈલ્ડ લાઈન એક્શનમાં: પાટણમાં થતા બાળલગ્ન અટકાવાયા
21 કલાક પહેલા
પાટણપાટણ કોર્ટ કમ્પાઉન્ડમાં સુરક્ષા સામે સવાલ : સગીરાનું અપહરણ થતા ખળભળાટ
2 દિવસ પહેલા
