ભાવનગરમાં લઠ્ઠાકાંડના કારણે વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. ભાર્ગવ ઉપાધ્યાય નામના વ્યક્તિના મોત બાદ હવે મૃત્યુઆંક 13 પર પહોંચી ગયો છે. ભાર્ગવ ઉપાધ્યાય કાળિયાબીડના સાગવાડીના રહેવાસી હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે.
ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું કરૂણ મોત નીપજતાં મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો છે. કાળિયાબીડના સાગવાડી વિસ્તારમાં રહેતા ભાર્ગવ ઉપાધ્યાય નામના વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ગોઝારા કાંડ બાદ હજુ પણ ભાવનગરની સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલમાં 4 દર્દીઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા સારવાર હેઠળ છે.





