મોડાસા ખાતે સાબરકાંઠા-અરવલ્લી ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસોસિએશનના ૬૦૦થી વધુ કેમિસ્ટ સભ્યોએ એકત્રિત થઈને દેશના વડાપ્રધાનના પ્રેરણાદાયી 'મન કી બાત' કાર્યક્રમનું સામુહિક નિહાળન કર્યું હતું.
સામાન્ય સભા દરમિયાન સંગઠનને મજબૂત બનાવવા અને કેમિસ્ટ મિત્રોના વિવિધ પ્રશ્નો અંગે સભ્યો સાથે સાર્થક સંવાદ સાધવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરનું કેમિસ્ટ એસોસિએશન દ્વારા સન્માન અને અભિવાદન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમાજ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અન્ય સભ્યોનું પણ સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સભામાં બંને જિલ્લાના કેમિસ્ટ ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.





