રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા2 મે, 2025| Super Admin

જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા કુલ ૪,૮૦૪ કામોને આપવામાં આવી મંજૂરી; બનાસકાંઠા જિલ્લામાં "સુજલામ સુફલામ્ જળ અભિયાન - કેચ ધ રેઇન ૨.૦ - ૨૦૨૫" અંતર્ગત કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે મહત્વપૂર્ણ જિલ્લા સ્તરની બેઠકનું આયોજન જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કરાયું હતું. બેઠકમાં જિલ્લાના તમામ ધારાસભ્યઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ તથા અમલીકરણ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા વિવિધ વિભાગોની ભલામણ મુજબ કુલ ૪,૮૦૪ કામોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ગ્રામ વિકાસ એજન્સીના ૨,૯૬૦, વન વિભાગના ૫૧, વોટર સેડ વિભાગના ૪, સ.સ.ન.નિ.લી.ના ૧૧, નગરપાલિકાના ૮૦, જળસંપત્તિ વિભાગના ૧,૩૭૦ અને પાણી પુરવઠા વિભાગના ૩૨૮ કામોનો સમાવેશ થાય છે. બેઠકમાં જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, “જળ સંરક્ષણ આજની તાતી જરૂરિયાત છે. ભવિષ્યમાં પાણીની સમસ્યાઓ ટાળવા માટે આજે જ સજાગ થવાની જરૂર છે. દરેક ગ્રામ પંચાયત, નગરપાલિકા અને સરકારી વિભાગે સુજલામ સુફલામ અભિયાનના ભાગરૂપે કાર્યક્ષમ અમલ કરી એકરૂપતા અને સમન્વય સાથે કામ કરવું જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ અભિયાન માત્ર સરકારી કામગીરી પૂરતું જ નહીં પરંતુ સમાજના તમામ વર્ગના લોકોની સહભાગિતાથી જ સફળ બની શકે છે. ગ્રામજનો, NGO, અને સ્થાનિક સંસ્થાઓએ પણ આ કાર્યમાં સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. તેમણે આ અભિયાન હેઠળના તમામ મંજૂર કામો સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય એ બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

સંબંધિત સમાચાર