રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા2 મે, 2025| Super Admin

જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા કુલ ૪,૮૦૪ કામોને આપવામાં આવી મંજૂરી; બનાસકાંઠા જિલ્લામાં "સુજલામ સુફલામ્ જળ અભિયાન - કેચ ધ રેઇન ૨.૦ - ૨૦૨૫" અંતર્ગત કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે મહત્વપૂર્ણ જિલ્લા સ્તરની બેઠકનું આયોજન જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કરાયું હતું. બેઠકમાં જિલ્લાના તમામ ધારાસભ્યઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ તથા અમલીકરણ સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જિલ્લા અમલીકરણ સમિતિ દ્વારા વિવિધ વિભાગોની ભલામણ મુજબ કુલ ૪,૮૦૪ કામોને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં ગ્રામ વિકાસ એજન્સીના ૨,૯૬૦, વન વિભાગના ૫૧, વોટર સેડ વિભાગના ૪, સ.સ.ન.નિ.લી.ના ૧૧, નગરપાલિકાના ૮૦, જળસંપત્તિ વિભાગના ૧,૩૭૦ અને પાણી પુરવઠા વિભાગના ૩૨૮ કામોનો સમાવેશ થાય છે. બેઠકમાં જિલ્લા કલેકટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, “જળ સંરક્ષણ આજની તાતી જરૂરિયાત છે. ભવિષ્યમાં પાણીની સમસ્યાઓ ટાળવા માટે આજે જ સજાગ થવાની જરૂર છે. દરેક ગ્રામ પંચાયત, નગરપાલિકા અને સરકારી વિભાગે સુજલામ સુફલામ અભિયાનના ભાગરૂપે કાર્યક્ષમ અમલ કરી એકરૂપતા અને સમન્વય સાથે કામ કરવું જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ અભિયાન માત્ર સરકારી કામગીરી પૂરતું જ નહીં પરંતુ સમાજના તમામ વર્ગના લોકોની સહભાગિતાથી જ સફળ બની શકે છે. ગ્રામજનો, NGO, અને સ્થાનિક સંસ્થાઓએ પણ આ કાર્યમાં સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ. તેમણે આ અભિયાન હેઠળના તમામ મંજૂર કામો સમયસર અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય એ બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

સંબંધિત સમાચાર