સરકારી વિનયન કોલેજ, સુઈગામ ખાતે નશામુક્તિ અંગે એક અતિ મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કોલેજના આચાર્ય ડૉ.ડી.એન. દેવરીના માર્ગદર્શન હેઠળ, કોલેજના એન્ટી-ડ્રગ ક્લબ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભરડવાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નશામુક્તિ અંગેની વકતૃત્વ સ્પર્ધા રખાયો હતો જેમાં કુલ ૧૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ નશાના દુષ્પરિણામો અને નશામુક્ત જીવનના મહત્વ વિશે વાત કરી હતી. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનારા વિદ્યાર્થીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરડવા દ્વારા આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા. તમામ પ્રતિભાગી વિદ્યાર્થીઓને પણ પેન ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના ૧૧૧ વિદ્યાર્થીઓ, તમામ કોલેજ સ્ટાફ, ૦૨ મેડિકલ ઓફિસરઓ અને આશાવર્કર બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તબીબી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, દર વર્ષે ગુજરાતમાં અને દેશમાં હજારો લોકો નશાને કારણે મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં આવા કાર્યક્રમો દ્વારા જાગૃતિ ફેલાવવી ખૂબ જ જરૂરી છે.
સુઈગામ કોલેજ ખાતે નશામુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સંબંધિત સમાચાર
બનાસકાંઠાવડગામના ખેડૂતો સરકાર સામે લાલઘૂમ: મગરવાડામાં કિસાન સંઘ સાથે બેઠક યોજી આંદોલનનું રણશિંગુ ફૂંક્યું
1 કલાક પહેલા
બનાસકાંઠાહની ટ્રેપનો પર્દાફાશ: આધેડ કોન્ટ્રાક્ટરને ચંડીસર બોલાવી રૂ. 5 લાખ પડાવ્યા, બેની ધરપકડ
2 કલાક પહેલા
બનાસકાંઠાછાપી વિસ્તારમાં કેબલ ચોરી કરનારા શખ્સો પોલીસના સકંજામાં: મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ
3 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠાના ખેડૂતો માટે 'સુવર્ણ અવસર': ₹67 કરોડના ખર્ચે રાજ્યનો પ્રથમ 'PINS' પ્રોજેક્ટ મંજૂર
3 કલાક પહેલા
