રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
બનાસકાંઠા4 જાન્યુઆરી, 2025| Super Admin

સુઈગામ કોલેજ ખાતે નશામુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સુઈગામ કોલેજ ખાતે નશામુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સરકારી વિનયન કોલેજ, સુઈગામ ખાતે નશામુક્તિ અંગે એક અતિ મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કોલેજના આચાર્ય ડૉ.ડી.એન. દેવરીના માર્ગદર્શન હેઠળ, કોલેજના એન્ટી-ડ્રગ ક્લબ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ભરડવાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નશામુક્તિ અંગેની વકતૃત્વ સ્પર્ધા રખાયો હતો જેમાં કુલ ૧૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ નશાના દુષ્પરિણામો અને નશામુક્ત જીવનના મહત્વ વિશે વાત કરી હતી. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનારા વિદ્યાર્થીઓને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરડવા દ્વારા આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા. તમામ પ્રતિભાગી વિદ્યાર્થીઓને પણ પેન ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના ૧૧૧ વિદ્યાર્થીઓ, તમામ કોલેજ સ્ટાફ, ૦૨ મેડિકલ ઓફિસરઓ અને આશાવર્કર બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તબીબી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, દર વર્ષે ગુજરાતમાં અને દેશમાં હજારો લોકો નશાને કારણે મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં આવા કાર્યક્રમો દ્વારા જાગૃતિ ફેલાવવી ખૂબ જ જરૂરી છે.

સંબંધિત સમાચાર