રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈ
બનાસકાંઠા9 જુલાઈ, 2026| Super Admin

ધાનેરાના આશિયા ગામમાં જળ સંચયના નામે લાખો રૂપિયાનો ધુવાડો

ધાનેરાના આશિયા ગામમાં જળ સંચયના નામે લાખો રૂપિયાનો ધુવાડો

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના આશિયા ગામમાં ચોમાસાની ઋતુ પૂર્વે તળાવ ઊંડા કરવાના નામે મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. જળ સંચયના ભગીરથ કાર્યના નામે સરકારી અને જુદી જુદી સંસ્થાઓના લાખો રૂપિયાનો ધુવાડો કરાતા સમગ્ર પંથકના જાગૃત નાગરિકોમાં વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આશિયા ગામના નાગરિકોએ હવે તળાવ અને માટી માફિયાઓ સામે મોર્ચો માંડીને વ્યાપક ગેરરીતિઓનો ભાંડો ફોડ્યો છે.ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આશિયા ગામમાં એકસાથે બે અલગ-અલગ યોજનાઓ હેઠળ તળાવ ઊંડા કરવા લાખો રૂપિયાના કામો મંજૂર કરાયા હતા. જેમાં પ્રથમ, સરકારની 'સુજલામ સુફલામ યોજના' અંતર્ગત લોક ભાગીદારી સાથે કુલ રૂ. ૮,૬૮,૦૦૦ ની માતબર રકમ મંજૂર થઈ હતી. આ કામગીરી હેઠળ કોન્ટ્રેક્ટર એજન્સી દ્વારા માત્ર દેખાવ પૂરતી જ તળાવની પાળ નજીક મશીનરીઓ ગોઠવવામાં આવી હતી. એજન્સીએ માત્ર ૧૫ જ દિવસમાં તળાવ ઊંડું કરી દીધું હોવાના પોકળ દાવાઓ કરીને રાતોરાત પોતાનો વીંટો વાળી ત્યાંથી રવાના થઈ ગઈ હતી. વાસ્તવમાં તળાવ બિલકુલ ઊંડું કરાયું નથી, માત્ર આજુબાજુ પાળ બાંધીને ગ્રાન્ટ સગેવગે કરવાનો ગામના જાગૃત નાગરિકોના જણાવ્યા મુજબ, જે તળાવ અગાઉથી જ કુદરતી રીતે ઊંડું હતું, તેની આસપાસ માત્ર જેસીબી ફેરવીને નવું કામ થયું હોવાનો દાવો કરાયો છે. આ સરકારી નાણાંનો ખુલ્લેઆમ દુરુપયોગ છે.
આ જ ગામના અન્ય એક 'પાડોળ' તળાવને ઊંડું કરવા માટે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના ભંડોળમાંથી રૂ. ૨ લાખ અને મિત્તલબેન પટેલની સંસ્થા દ્વારા રૂ. ૪ લાખ મળી કુલ રૂ. ૬ લાખનું આયોજન કરવામાં આવ્યું હતું. નિયમ મુજબ આ કામગીરી ઓછામાં ઓછી એક મહિનાથી વધુ ચાલવી જોઈતી હતી, પરંતુ ચતુર કોન્ટ્રેક્ટરે માત્ર ૧૫ દિવસમાં જ આખું કામ પૂરું બતાવી દીધું હતું. ગ્રામજનોના આક્ષેપ મુજબ મુખ્ય એજન્સીએ પેટા કોન્ટ્રેક્ટ આપીને ભારે લોલંલોલ ચલાવ્યું છે. આ બાબતે ગામના સરપંચ પણ અજાણ હોવાનું અને તેમને પૂરતી માહિતી જ ન અપાઈ હોવાનું સામે આવ્યું છે.
કોન્ટ્રેક્ટરો અને ભ્રષ્ટ અધિકારીઓની કથિત મિલીભગત સામે સ્થાનિક અગ્રણી ડાયાભાઈ સહિતના જાગૃત નાગરિકોએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. ગ્રામજનોએ માંગ કરી છે કે માટી તેમજ તળાવના નામે ચાલતા આ ગોરખધંધાની તાત્કાલિક નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટ એજન્સી સામે કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે જિલ્લા પ્રશાસન આ માટી માફિયાઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સામે કેવા આકરા પગલાં ભરે છે.

ટેગ્સ:#Dhanera

સંબંધિત સમાચાર