રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા13 જાન્યુઆરી, 2025| Super Admin

શેરપુરા થી સેંભર સુધી બની રહેલ નવીન રોડના કામમાં ગેરરીતિ આચરાતી હોવાની બુમરાડ

શેરપુરા થી સેંભર સુધી બની રહેલ નવીન રોડના કામમાં ગેરરીતિ આચરાતી હોવાની બુમરાડ
રોડના કામમાં નામ માત્ર ખિલાસરીનો ઉપયોગ કરતા કામની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા: વડગામ તાલુકાના શેરપુરા થી શેભર ગોગા મહારાજના મંદિર સુધી ડામર તેમજ આરસીસી રોડનું કામ હાથ ધરવામાં આવ્યું છે જેમાં કોન્ટ્રાકટર દ્વારા જૂના આરસીસી રોડ પર પીચિંગ કર્યા વિના જ અને નામ માત્રની ખીલાસરીનો ઉપયોગ રોડ બનાવવામાં આવી રહ્યો હોય લાખો રૂપિયાના ખર્ચે બની રહેલા રોડની ગુણવત્તા સામે લોકોમાં સવાલો ઉઠવા પામ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા દર વર્ષે લાખો કરોડો રૂપિયાના ખર્ચે રોડ રસ્તાઓ બનાવવાના આવે છે પરંતુ કેટલીક જગ્યાઓએ કોન્ટ્રાકટરની મેલી મુરાદના કારણે રોડ રસ્તાઓનું તકલાદી કામ કરવામાં આવતા તે સામાન્ય વરસાદમાં જ તુટી જતા હોય છે જેમાં હાલ વડગામ તાલુકામાં શેરપુરા થી સેંભર ગોગ મહારાજના મંદિર સુધી લાખો રૂપિયાના ખર્ચે ડામર અને આરસીસી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું છે જેમાં કોન્ટ્રાકટર દ્વારા આરસીસી રોડ પર નવો આરસીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે આ કામમાં જૂના આરસીસી રોડનું પિચીંગ કરવામાં ન આવતા તેમજ રોડમાં નામ માત્ર ખીલાસરીની જાળીઓ નાખવામાં આવતા નબળી ગુણવત્તાને લઇ લાખો રૂપિયાનું એંધાણ થઇ રહયું છે ત્યારે જવાબદાર તંત્ર સ્થળ સ્થિતિની જાત તપાસ કરી રોડ મજબુત બને તે દિશામાં પગલાં ભરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.

સંબંધિત સમાચાર