ડીસા તાલુકાના ઝેરડા ગામે વીજ કનેક્શન આપવા મામલે લાંચ માગવાનો આક્ષેપ થતાં ચર્ચા જગાઈ છે. ઝેરડા ગામના રહીશ લીલાભાઈ વિહાભાઈએ પાલનપુર સ્થિત પી.આઈ. એસીબીને લેખિત અરજી આપી UGVCLના હેલ્પર અને આર. પંચાલ તથા સી.ડી. પ્રજાપતિ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.અરજી મુજબ, અરજદાર લીલાભાઈ દ્વારા પોતાના ખેતરમાં નવો બોર બનાવ્યા બાદ વીજ કનેક્શન લેવા માટે કેરડા UGVCL ઓફિસમાં જરૂરી કાગળો સાથે અરજી કરી હતી. આ દરમિયાન ઓફિસના હેલ્પર લાઇનમેન એચ આર. પંચાલે સર્વે કરવા માટે પહેલા 1500 રૂપિયા માગ્યા હતા, જે અરજદારે ચૂકવ્યા હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ કામ આગળ વધારવા માટે ફરીથી કુલ 20,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હોવાનો આરોપ અરજીમાં કરવામાં આવ્યો છે. અરજદારના પુત્ર ભરતભાઈ દેસાઈના જણાવ્યા મુજબ રૂપિયા નહીં આપીએ તો વીજ કનેક્શન આપવામાં નહીં આવે તેવી પણ ધમકી આપવામાં આવી હતી.અરજદારે વધુમાં જણાવ્યું છે કે હાલમાં બે સિઝનથી પાણી વગર ખેતી કરવી મુશ્કેલ બની છે અને પશુઓ માટે પણ પાણીની સમસ્યા ઉભી થઈ છે. આ સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓ સામે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ અરજીમાં કરવામાં આવી છે. આ અરજી બાદ સમગ્ર મામલો હવે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે આક્ષેપો અંગે સંબંધિત અધિકારીઓ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી.
ઝેરડા ગામે વીજ કનેક્શન માટે લાંચની માંગણીનો આક્ષેપ : UGVCLના બે કર્મચારીઓ સામે ACBમાં લેખિત ફરિયાદ

સંબંધિત સમાચાર
બનાસકાંઠાબનાસકાંઠા સહિત વાવ થરાદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેતરોમાં ચિંતાના વાદળો
22 કલાક પહેલા
બનાસકાંઠાબનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક ધિરાણ મંડળી બચાવવા સંઘર્ષ સમિતિ દ્વારા મંત્રીને આવેદનપત્ર આપ્યું
23 કલાક પહેલા
બનાસકાંઠાઉદયપુર મેરેથોનમાં છવાઈ ડોકરા રનિંગ ક્લબ: ૩૦૦થી વધુ રનર્સના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું મેદાન!
1 દિવસ પહેલા
બનાસકાંઠાપાલનપુર કોલેજ ખાતે બનાસકાંઠા બોર્ડર રેન્જ આઈ.જી.ના અધ્યક્ષ સ્થાને કેરિયર કાઉન્સેલિંગ પ્રોગ્રામ' યોજાયો
1 દિવસ પહેલા
