પંજાબના અમૃતસરના જંડિયાલા ગુરુમાં વોર્ડ નંબર 2 ના અકાલી દળના કાઉન્સિલરની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અમૃતસરના છહેરતા સાહિબમાં ગોળીબાર થયો છે. મોટરસાઇકલ પર સવાર બે હુમલાખોરોએ અકાલી દળના કાઉન્સિલર હરજિંદર સિંહ બ્રાહ્મણ પર ગોળીબાર કર્યો હતો. અકાલી દળના કાઉન્સિલર હરજિંદર સિંહ બ્રાહ્મણને ત્રણથી ચાર ગોળીઓ વાગી હતી. હોસ્પિટલ લઈ જવામાં આવેલા કાઉન્સિલરને ડોક્ટરોએ મૃત જાહેર કર્યા. પ્રાપ્ત માહિતી અનુસાર, બંને હુમલાખોરો મોટરસાઇકલ પર આવ્યા હતા. તેમાંથી એકે મોટરસાયકલ ચાલુ રાખી, જ્યારે બીજાએ કાઉન્સિલર પર ગોળીબાર કર્યો હતો. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આ બાબતે એડીસીપી હરપાલ સિંહ રંધાવાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, 'જ્યારે હરજિંદર સિંહ જઈ રહ્યા હતા, ત્યારે કેટલાક લોકોને લઈને એક મોટરસાઇકલ તેમની પાસે આવી અને ગોળીબાર કર્યો.' હોસ્પિટલ લઈ જતી વખતે તેનું મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું હતું કે, 'તેમના ભાઈ અને સાળાના મતે, હુમલાખોરો એ જ લોકો હતા જેમણે અગાઉ તેમના ઘર પર ગોળીબાર કર્યો હતો અને તેમને ધમકી આપી હતી. અમૃતસર પોલીસે જણાવ્યું હતું કે હરજિંદર સિંહ હત્યા કેસમાં ત્રણ લોકોની ઓળખ થઈ ગઈ છે. ઘટનામાં વપરાયેલ વાહનની પણ ઓળખ થઈ ગઈ છે. હરજિંદર સિંહની હત્યામાં સંડોવાયેલા કૃષ્ણા ગેંગના બે શૂટરોની ધરપકડ કરવામાં આવી છે. બે પિસ્તોલ અને સાત જીવતા કારતૂસ મળી આવ્યા છે. બંને શૂટરોની પૂછપરછ ચાલી રહી છે. પોલીસ દ્વારા અમિત, ગોપી અને કરણ કિડાની શોધ હજુ પણ ચાલુ છે.
અમૃતસરમાં ધોળા દિવસે અકાલી દળના નેતાની ગોળી મારીને હત્યા

ટેગ્સ:#murder#leader#Punjab#Amritsar#Motorcycle#sahib#broad daylight#Akali Dal#bullet#Cheherata#Harinder Singh
સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયમમતાનું શાસન પૂરું થયું! રાજ્યપાલે પશ્ચિમ બંગાળ વિધાનસભા ભંગ કરી, નવી સરકારની રચનાનો માર્ગ મોકળો કર્યો
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયનાશિક જાતીય શોષણ અને ધર્માંતરણ કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી; શંકાસ્પદ આરોપી નિદા ખાનની ધરપકડ
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયછાતીમાં 3 ગોળીઓ, હૃદયની ખરાબ સ્થિતિ અને મલ્ટી-ઓર્ગન ફેલ્યોર... સુવેન્દુના પીએના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શું છે?
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયસમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીને મળ્યા
1 દિવસ પહેલા
