ખેડબ્રહ્મા શહેરના લક્ષ્મીપુરા ચારરસ્તા પાસે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સ્ટેટ હાઈવે પર કાર નંબર GJ09BH2512 અને એકટીવા વચ્ચે થયેલી ટક્કરમાં કુલ ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં ઇડરના રહેવાસી રવિ સુથાર અને લક્ષ્મીપુરાના સાગર પંચાલનો સમાવેશ થાય છે. બંનેને તાત્કાલિક ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરોએ તેમને પ્રાથમિક સારવાર આપી હતી. જોકે, વધુ ઇજાઓને કારણે બંનેને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.આ અકસ્માતમાં લક્ષ્મીપુરા ગામના નિવાસી મિહિર જોશીને પણ ઓછી-વત્તી ઇજાઓ થઈ હતી. તેમને ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી અને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.
ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ચારરસ્તા પાસે અકસ્માત સર્જાયો : ત્રણ ઘાયલ

સંબંધિત સમાચાર
સાબરકાંઠાસાબરકાંઠાના અંતરિયાળ ગામોમાં રક્તદાનની સરવાણી : ૩૧ યુનિટ રક્ત એકત્ર કર્યું
2 દિવસ પહેલા
સાબરકાંઠાતંત્ર સજ્જ : પ્રાંતિજ હાઈવે પર મોકડ્રિલ યોજાઈ, અકસ્માત સમયે બચાવ કામગીરીનું જીવંત નિદર્શન કરાયું
3 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં પેન્શનરોનો હલ્લાબોલ : વેલિડેશન એક્ટ 2025 ના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું
5 દિવસ પહેલા
સાબરકાંઠાહિંમતનગરમાં પેન્શનરોનો હલ્લાબોલ : વેલિડેશન એક્ટ 2025 ના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર અપાયું
5 દિવસ પહેલા
