આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજાના વિરોધમાં અરવલ્લી જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. 'આપ'ના કાર્યકરો અને આગેવાનોએ આ ચુકાદા સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા મોડાસા શહેરમાં એક વિશાળ પદયાત્રાનું આયોજન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં ઉમટેલા કાર્યકરોએ પ્લેકાર્ડ્સ સાથે સરકાર વિરોધી જોરદાર સૂત્રોચ્ચાર કરીને કાયદો અને વ્યવસ્થાના નામે રાજકીય કિન્નાખોરી રાખવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. AAPના આ આક્રમક તેવરને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ કાફલો પણ એલર્ટ મોડ પર આવી ગયો હતો.
અરવલ્લીમાં AAPનો આક્રોશ: ચૈતર વસાવા મામલે મોડાસામાં પદયાત્રા યોજી સરકારને ઘેરી

સંબંધિત સમાચાર
અરવલ્લીઅરવલ્લીના મેઘરજમાં ઓછા વરસાદથી પાકને નુકસાન: ખેડૂત એકતા મંચે તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ કરી
2 દિવસ પહેલા
અરવલ્લીવિજયનગરના પાલ હાથમતી નદી પટમાં ભક્તિભાવથી દશામાની પ્રતિમાઓનું વિસર્જન
4 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લી: ધનસુરા પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીઅરવલ્લી કલેક્ટરે મોડાસા ઘન કચરા યુનિટની મુલાકાત લીધી
1 અઠવાડિયા પહેલા
