આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજાના વિરોધમાં અરવલ્લી જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. 'આપ'ના કાર્યકરો અને આગેવાનોએ આ ચુકાદા સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા મોડાસા શહેરમાં એક વિશાળ પદયાત્રાનું આયોજન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં ઉમટેલા કાર્યકરોએ પ્લેકાર્ડ્સ સાથે સરકાર વિરોધી જોરદાર સૂત્રોચ્ચાર કરીને કાયદો અને વ્યવસ્થાના નામે રાજકીય કિન્નાખોરી રાખવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. AAPના આ આક્રમક તેવરને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ કાફલો પણ એલર્ટ મોડ પર આવી ગયો હતો.
અરવલ્લીમાં AAPનો આક્રોશ: ચૈતર વસાવા મામલે મોડાસામાં પદયાત્રા યોજી સરકારને ઘેરી

સંબંધિત સમાચાર
અરવલ્લીઅરવલ્લીમાં ૫૧ હજાર હેક્ટરથી વધુ મગફળીનું વાવેતર: સતત વરસાદના કારણે જીવાતનો પ્રકોપ
3 દિવસ પહેલા
અરવલ્લીઈડરમાં મેઘરાજાની હેલી: કાળઝાળ ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદથી ધરતીપુત્રોના હૈયાં હરખાયા
5 દિવસ પહેલા
અરવલ્લીમોડાસામાં ગૌ સન્માન અભિયાન અંતર્ગત કલેક્ટરને પ્રાર્થના પત્ર અર્પણ કરાયું
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીમોડાસામાં સાબરકાંઠા-અરવલ્લી ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ
1 અઠવાડિયા પહેલા
