આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટ દ્વારા ફટકારવામાં આવેલી સજાના વિરોધમાં અરવલ્લી જિલ્લામાં રાજકારણ ગરમાયું છે. 'આપ'ના કાર્યકરો અને આગેવાનોએ આ ચુકાદા સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા મોડાસા શહેરમાં એક વિશાળ પદયાત્રાનું આયોજન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં ઉમટેલા કાર્યકરોએ પ્લેકાર્ડ્સ સાથે સરકાર વિરોધી જોરદાર સૂત્રોચ્ચાર કરીને કાયદો અને વ્યવસ્થાના નામે રાજકીય કિન્નાખોરી રાખવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. AAPના આ આક્રમક તેવરને પગલે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ કાફલો પણ એલર્ટ મોડ પર આવી ગયો હતો.
અરવલ્લીમાં AAPનો આક્રોશ: ચૈતર વસાવા મામલે મોડાસામાં પદયાત્રા યોજી સરકારને ઘેરી

સંબંધિત સમાચાર
અરવલ્લીઈડર APMC ચૂંટણીમાં સત્તા પક્ષના મેન્ડેડ સામે ખેડૂત એકતાનો ભવ્ય વિજય
5 દિવસ પહેલા
અરવલ્લીઇડરના કાનપુર પાસે ગૌવાવ નદીના પુલ પર ગમખ્વાર અકસ્માત: બે બાઇક સામસામે ટકરાતાં ચાલકોનાં મોત
6 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ કાર્યશાળા યોજાઈ
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીગાંભોઈ-ભિલોડા હાઈવે પર કારે રિક્ષાને ટક્કર મારતા પલટી ગઈ: એક મહિલાનું મોત, 5 ઘાયલ
1 અઠવાડિયા પહેલા
