અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા ૫૧ હજાર હેક્ટરથી વધુ જમીનમાં મગફળીનું મોટાપાયે વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ, સિઝન દરમિયાન સતત વરસેલા વરસાદ અને ભેજવાળા વાતાવરણના કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પાકમાં જીવાતનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેના કારણે મગફળીનો પાક નષ્ટ થવાના આરે પહોંચ્યો છે. પાકને બચાવવા માટે ખેડૂતોએ મોંઘા ભાવની દવાઓનો છંટકાવ કરવો પડી રહ્યો છે, છતાંય અપેક્ષિત ઉત્પાદન મેળવવાને લઈને અન્નદાતાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને સરકાર તેમજ તંત્ર દ્વારા યોગ્ય સહાયની માંગ કરવામાં આવી રહી છે.
અરવલ્લીમાં ૫૧ હજાર હેક્ટરથી વધુ મગફળીનું વાવેતર: સતત વરસાદના કારણે જીવાતનો પ્રકોપ

ટેગ્સ:#arvalli
સંબંધિત સમાચાર
અરવલ્લીવિજયનગરના પાલ હાથમતી નદી પટમાં ભક્તિભાવથી દશામાની પ્રતિમાઓનું વિસર્જન
1 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લી: ધનસુરા પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
5 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લી કલેક્ટરે મોડાસા ઘન કચરા યુનિટની મુલાકાત લીધી
5 દિવસ પહેલા
અરવલ્લીહિંમતનગર બાયપાસ પર ચાલુ કારમાં ભીષણ આગ: ચાલકની સમજૂતીથી મોટી દુર્ઘટના ટળી
1 અઠવાડિયા પહેલા
