અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ખેડૂતો દ્વારા ૫૧ હજાર હેક્ટરથી વધુ જમીનમાં મગફળીનું મોટાપાયે વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ, સિઝન દરમિયાન સતત વરસેલા વરસાદ અને ભેજવાળા વાતાવરણના કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પાકમાં જીવાતનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે, જેના કારણે મગફળીનો પાક નષ્ટ થવાના આરે પહોંચ્યો છે. પાકને બચાવવા માટે ખેડૂતોએ મોંઘા ભાવની દવાઓનો છંટકાવ કરવો પડી રહ્યો છે, છતાંય અપેક્ષિત ઉત્પાદન મેળવવાને લઈને અન્નદાતાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને સરકાર તેમજ તંત્ર દ્વારા યોગ્ય સહાયની માંગ કરવામાં આવી રહી છે.
અરવલ્લીમાં ૫૧ હજાર હેક્ટરથી વધુ મગફળીનું વાવેતર: સતત વરસાદના કારણે જીવાતનો પ્રકોપ

ટેગ્સ:#arvalli
સંબંધિત સમાચાર
અરવલ્લીઈડરમાં મેઘરાજાની હેલી: કાળઝાળ ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદથી ધરતીપુત્રોના હૈયાં હરખાયા
2 દિવસ પહેલા
અરવલ્લીમોડાસામાં ગૌ સન્માન અભિયાન અંતર્ગત કલેક્ટરને પ્રાર્થના પત્ર અર્પણ કરાયું
4 દિવસ પહેલા
અરવલ્લીમોડાસામાં સાબરકાંઠા-અરવલ્લી ડિસ્ટ્રિક્ટ કેમિસ્ટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ
1 અઠવાડિયા પહેલા
અરવલ્લીઅરવલ્લીમાં ભાડા કરારની આડમાં ટ્રેક્ટર કૌભાંડનો પર્દાફાશ: ૬ આરોપીઓની ધરપકડ
1 અઠવાડિયા પહેલા
