રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
બનાસકાંઠા17 જૂન, 2026| Super Admin

દાંતીવાડાના વાઘોર ગામના શ્રમિક યુવાનનું રાજસ્થાનમાં વીજ કરંટ લાગતા કરુણ મોત

દાંતીવાડાના વાઘોર ગામના શ્રમિક યુવાનનું રાજસ્થાનમાં વીજ કરંટ લાગતા કરુણ મોત

દાંતીવાડા તાલુકાના વાઘોર ગામના એક આશાસ્પદ યુવાન શ્રમિકનું રાજસ્થાન રાજ્યમાં વિજ કરંટ લાગતાં દુઃખદ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર દાંતીવાડા તાલુકા ના વાઘોર ગામના પ્રહલાદ કાંતિભાઈ ચૌહાણ નામનો યુવક મજૂરી કામ અર્થે રાજસ્થાનના રેવદર તાલુકાના મંડાર ગામે ગયો હતો. દરમિયાન કામ કરતી વખતે અચાનક વિજ કરંટ લાગતાં ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.ઘટનામાં એક અન્ય યુવક પ્રહલાદને બચાવવા દોડ્યો હતો, પરંતુ તેને પણ કરંટ લાગતા ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

પ્રાથમિક માહિતી મુજબ, કરંટ લાગવાથી યુવકનું મોત થયું હોવાનો અંદાજ છે, જોકે ઘટના પાછળનું સાચું કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.મૃતક યુવકના મૃતદેહને પીએમ માટે પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.આ દુર્ઘટનાને પગલે વાઘોર ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે. અને પરિવારજનોમાં ભારે દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.

સંબંધિત સમાચાર