દાંતીવાડા તાલુકાના વાઘોર ગામના એક આશાસ્પદ યુવાન શ્રમિકનું રાજસ્થાન રાજ્યમાં વિજ કરંટ લાગતાં દુઃખદ મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર દાંતીવાડા તાલુકા ના વાઘોર ગામના પ્રહલાદ કાંતિભાઈ ચૌહાણ નામનો યુવક મજૂરી કામ અર્થે રાજસ્થાનના રેવદર તાલુકાના મંડાર ગામે ગયો હતો. દરમિયાન કામ કરતી વખતે અચાનક વિજ કરંટ લાગતાં ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.ઘટનામાં એક અન્ય યુવક પ્રહલાદને બચાવવા દોડ્યો હતો, પરંતુ તેને પણ કરંટ લાગતા ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
પ્રાથમિક માહિતી મુજબ, કરંટ લાગવાથી યુવકનું મોત થયું હોવાનો અંદાજ છે, જોકે ઘટના પાછળનું સાચું કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.મૃતક યુવકના મૃતદેહને પીએમ માટે પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.આ દુર્ઘટનાને પગલે વાઘોર ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે. અને પરિવારજનોમાં ભારે દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.





