રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
પાટણ10 ઑગસ્ટ, 2025| Super Admin

પાટણ શહેરમાં આદીવાસી દિવસની ઉજવણી અંતગૅત શોભાયાત્રા યોજાઈ…!

પાટણ શહેરમાં આદીવાસી દિવસની ઉજવણી અંતગૅત શોભાયાત્રા યોજાઈ…!
યુનાઇટેડ નેશન્સ દ્વારા નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. શનિવારે પાટણ શહેરના સૂર્યનગર ભીલવાસ ખાતે બિરસા મુંડાની પ્રતિમાથી આદિવાસી સમાજની શોભાયાત્રા નીકળી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં આદિવાસી ભીલ સમાજના પરિવારજનો જોડાયા હતા. શોભાયાત્રા બિરસા મુંડા ચોકથી પ્રસ્થાન કરી પીપળા ગેટ,ભીલવાસ, ફૂલબજાર, હિંગળા ચાચળ ચોક, બગવાડા દરવાજા, બસ સ્ટેશન, જયવીર નગર રોડ અને પારેવા સર્કલ થઈને પુનઃ સૂર્યનગર ભીલવાસ બિરસા મુંડા ચોક ખાતે સમાપન થઈ હતી. આદિવાસી ભીલ સમાજના લોકોએ પોતાના પરંપરાગત આદિવાસી સ્વાંગમાં સજ્જ થઈ શોભાયાત્રામાં ભાગ લીધો હતો. તેઓએ વિવિધ આદિવાસી વેશભૂષા અને નૃત્ય પ્રસ્તુત કર્યા હતા. શોભાયાત્રામાં તીર-કામઠા સાથે 'વૃક્ષો બચાવો', 'પ્રકૃતિ બચાવો', 'પાણી બચાવો' અને 'સ્વચ્છતા અભિયાન'ના સંદેશ આપતા ટેબલો પણ સામેલ કરવામાં આવ્યા હતા. સમગ્ર ભારતમાં નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પાટણ શહેરમાં વસતા સમસ્ત આદિવાસી ભીલ સમાજે 'એક તીર એક કમાન, સબ આદિવાસી એક સમાન'ના સૂત્ર સાથે આ દિવસની ઉજવણી કરી હતી. શહેરના રાજમાર્ગ પરથી નીકળેલી આ ગૌરવ યાત્રામાં મોટી સંખ્યામાં આદિવાસી ભીલ સમાજના પરિવારજનોએ જોડાઈ આદિવાસી દિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી.

સંબંધિત સમાચાર