રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા18 ફેબ્રુઆરી, 2025| Super Admin

પાલનપુર લક્ષ્મીપુરાની ફાટક પર બ્રિજ બનાવવાની માંગ સાથે જિલ્લા કલેકટરને રજૂઆત કરાઈ

પાલનપુર લક્ષ્મીપુરાની ફાટક પર બ્રિજ બનાવવાની માંગ સાથે જિલ્લા કલેકટરને રજૂઆત કરાઈ
છેલ્લા બે વર્ષથી ફાટક બંધ હોવાથી લક્ષ્મીપુરાના ગ્રામજનોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે; પાલનપુર લક્ષ્મીપુરા ફાટક છેલ્લા બે વર્ષથી બંધ કરવામાં આવતા લક્ષ્મીપુરાના ગ્રામજનોને સિટીમાં જવા માટે પાંચથી સાત કિલોમીટરનું અંતર કાપીને જવું પડી રહ્યું છે. આ બાબતે અગાઉ આંદોલન કરવાની ચીમકી આપી હતી. તે સમયે બ્રિજ બનાવવાની ખાતરી આપી હતી પરંતુ હજુ સુધી કોઈ કામગીરી ન કરાતા સોમવારે લક્ષ્મીપુરાના આગેવાનોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળી રજૂઆત કરી હતી. પાલનપુર લક્ષ્મીપુરા ગામમાં થી ગઠામણ ગેટ,અંબિકા નગર, ડેરી રોડ જવા માટેનો જે માર્ગ હતો તે માર્ગ પરની ફાટક છેલ્લા બે વર્ષથી બંધ કરવામાં આવતા લક્ષ્મીપુરા ગ્રામજનોને સિટીમાં જવા માટે પાંચ થી સાત કિલોમીટરનું અંતર કાપી જવું પડી રહ્યું છે. જેથી આ બાબતે અગાઉ લક્ષ્મીપુરાના ગ્રામજનોએ રેલી કાઢી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેથી તંત્ર દ્વારા તેમની સાથે ચર્ચા કર્યા બાદ તેમને ત્યાંથી રસ્તો કરી બ્રિજ કરી આપવાની ખાતરી આપી હતી. પરંતુ આજ સુધી તેનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી જેને કારણે ગ્રામજનોનું પ્રતિનિધિ મંડળ સોમવારે પાલનપુર કલેકટર કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા હતા અને ઝડપથી બ્રિજની કામગીરી શરૂ કરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી હતી. જો આગામી દિવસોમાં આ કામગીરી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

સંબંધિત સમાચાર